પહેલા ત્રણ દિવસ માટે ટીમ ઈન્ડિયા આગળ ચાલી રહી હતી પણ પછીના બે દિવસમાં ટીમ ઈન્ડિયાના થોડા ખરાબ પ્રદશનને કારણે આજે હારનો સામનો કરવો પડી રહ્યો છે.
ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતવાનું સપનું 15 વર્ષ બાદ હવે ચકનાચૂર થઈ ગયું
ભારતની નિષ્ફળતાનું કારણ ભારતીય ખેલાડીઓની અમુક ભૂલો
ચોથા દિવસે જોની બેયરસ્ટોનો સામાન્ય કેચ પકડવામાં નિષ્ફળ રહ્યા
બર્મિંઘમના એજબેસ્ટન મેદાન પર રમાયેલી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડે ચોથી ઈનિંગમાં 378 રન ફટકારીને રેકોર્ડ જીત નોંધાવી છે અને પાંચ મેચની શ્રેણીમાં 2-2થી બરોબરી મેળવી લીધી છે. ભારતીય ટીમ એજબેસ્ટોનમાં પહોંચેલી ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતવાનું સપનું 15 વર્ષ બાદ હવે ચકનાચૂર થઈ ગયું છે. ભારતની નિષ્ફળતાનું કારણ ભારતીય ખેલાડીઓની અમુક ભૂલો છે.
ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં 416 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા ખરાબ શરૂઆત કરી હતી. 100 રનની અંદર જ ટીમ ઇન્ડિયાએ પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તે પછી રિષભ પંત અને રવિન્દ્ર જાડેજા વચ્ચે 200થી વધુ રનની ભાગીદારી થઈ પણ બીજી ઇનિંગમાં માત્ર ચેતેશ્વર પુજારા અને રિષભ પંતે અડધી સદી ફટકારી હતી, જેના આધારે ટીમ ઈન્ડિયાનો સ્કોર 245 રન સુધી પહોંચ્યો હતો. ત્રીજા દિવસે સારી લીડ મેળવ્યા બાદ ચોથા દિવસે ટીમ ઈન્ડિયાએ માત્ર 120ના માર્જિનથી પોતાની સાત વિકેટ ગુમાવી દીધી હતી. ઈંગ્લેન્ડની વાત કરી તો પ્રથમ ઇનિંગમાં ઇંગ્લેન્ડે 284 રન બનાવ્યા હતા અને ભારતથી 132 રન પાછળ રહી ગયું હતું. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ પોતાની રમતમાં ફેરફાર કર્યો હતો. ઈંગ્લેન્ડની ઓપનિંગ જોડીએ પહેલા શતકીય ભાગીદારી કરી હતી, ત્યાર બાદ જો રૂટ અને જોની બેયરસ્ટો વચ્ચે જબરદસ્ત ભાગીદારી થઈ હતી. જો રૂટે અને જોની બેયરસ્ટોએની ધમાકેદાર ઈનિંગના આધારે ઈંગ્લેન્ડે 378 રનનો ટાર્ગેટ માત્ર 77 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો.
પહેલા ત્રણ દિવસ માટે ટીમ ઈન્ડિયા આગળ ચાલી રહી હતી પણ પછીના બે દિવસમાં ટીમ ઈન્ડિયાના થોડા ખરાબ પ્રદશનને કારણે આજે હારનો સામનો કરવો પડી રહ્યો છે.
હનુમા વિહારી
ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડર બેટ્સમેન હનુમા વિહારી એ આ મેચમાં તેનું સૌથી ખરાબ પર્ફોમન્સ આપ્યું છે. મેચની બંને ઈનિંગ્સમાં તેઓ ફ્લોપ સાબિત થાય છે. પહેલી ઇનિંગમાં 20 રન બનાવીને આઉટ થઈ ગયા તો બીજી ઇનિંગમાં 11 રન બનાવ્યા હતા. હનુમા વિહારીએ મેચના ચોથા દિવસે જોની બેયરસ્ટોનો સામાન્ય કેચ પકડવામાં નિષ્ફળ રહ્યા હતા. જો એ કેચ પકડી લીધો હતો તો એ સમયે જોની બેયરસ્ટો 14 રનમાં જ આઉટ થઈ ને પાછા ફરી ગયા હતો અને 114 રનની લાંબી ઇનિંગ ન રમી શક્ય હોત.
વિરાટ કોહલી
આ મેચના સૂયાથી ભરોસેમંદ ખેલાડી વિરાટ કોહલી બહારની હારના સૌથી મોત જવાબદાર રહ્યા છે. વિરાટ પાસે આ મેચમાં સારા એવા સ્કોરની આશા રાખીને દર્શકો બેઠા હતા પણ વિરાટે પહેલી ઇનિંગમાં 11 રન અને બીજી ઇનિંગમાં 20 રન બનાવીને દર્શકો અને ભારતીય ટીમની જીતની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. વિરત્ન આવા પ્રદશનને કારને ટીમ ઈન્ડિયા મિડલ ઓર્ડરમાં સારું પ્રદશન ન કરી શકી.
શ્રેયસ અય્યર
આ મેચમાં શ્રેયસ અય્યરને પ્લેઇંગ XI માં રમવાનો મોકો મળ્યો હતો પણ શ્રેયસ અય્યર ટીમના ભરોસા પર કામયાબ ન ઉતરી શક્યા. અય્યર આ મેચની પહેલી ઇનિંગમાં 15 રન બનાવીને આઉટ થઈ ગયા હતઆ અને બીજ ઇનિંગમાં 19 રન બનાવીને પવેલીયન પરત ફર્યા હતા. શ્રેયસ અય્યર પર લોઅર ઓર્ડર સંભાળવાની ઘણી મોટી જવાબદારી હતી પણ તેઓ ટીમ ઇન્ડિયાની હારનું કારણ બની ગયા હતા.