દેશમાં કોરોના વાયરસના કેસ 63 લાખને પાર થઇ ગયા છે. એક સ્ટડી પ્રમાણે કોરોના વાયરસ સંક્રમિત લોકોનો દસમો હિસ્સો સુપર સ્પ્રેડર એટલે કે સંક્રમણ સૌથી વધારે ફેલાવનાર છે. તામિળનાડુ અને આંધ્રપ્રદેશમાં તેના લીધે 60 ટકા કેસ વધી ગયા છે. સાયન્સ જર્નલમાં sars-cov-2ના ટ્રાંસમિશન પેટર્ન પર કરવામાં આવેલી આ સ્ટડી સામે આવી છે.
ભારતની સ્ટડી પ્રમાણે નવા ખુલાસા
કોરોના વાયરસ ફેલાવવામાં મુસાફરી જવાબદાર
40 વર્ષના લોકોને સુગરની તકલીફ થઇ શકે છે
આંધ્ર પ્રદેશ અને તામિળનાડુમાં કરવામાં આવેલ આ સ્ટડી વિશ્વમાં કદાય સૌથી મોટી કોરોના સ્ટડી છે. આમાં 575000 લોકો પર સંક્રમણ પેટર્નના અધ્યયન કરવામાં આવ્યું. જેમાં 85 હજાર લોકો સંક્રમિત નીકળ્યા. તેમાં ચોંકાવનારો ખુલાસો થયો કે કોવિડ-19ના એક્ટિવ સ્પ્રેડર છે.
વૉશિંગટનના સેન્ટર ફોર ડિઝીઝ ડાયનામિક્સ, ઇકોનોમિક્સ એન્ડ પોલિસીઝના ડાયરેક્ટર રમનાન લક્ષ્મીનારાયનનેસ્ટડીનુ નેતૃત્વ કર્યું. જેમાં તે પણ સામે આવ્યુ કે 40થી લઇને 69 વર્ષના ઉંમરના લોકો વધારે પ્રમાણમાં મૃત્યુ પામે છે. સંક્રમણનુ સૌથી મોટુ કારણ મુસાફરીને માનવામાં આવ્યું છે. સ્ટડીમાં તે પણ સાબિત થયુ કે આ ઉંમરમાં ભારતીયો બિમારીઓ સામે લડવામાં માને છે.
રિસર્ચને લીડ કરનારા રમનાને કહ્યું કે અમારી સ્ટડીમાં સંક્રમિત વ્યક્તિઓનો દસમો ભાગ સુપર સ્પ્રેડર સાબિત થયો છે. આ માત્ર ભારત જ નહી પરંતુ બીજા દેશોમાં એક મોટી ભૂમિકા નિભાવે છે.
હોમ આઇસોલેશનમાં રહેવાવાળા અને રૂમ શૅર કરવાવાળા લોકોને સંક્રમણની સમસ્યા વધારે રહે છે. કારમાં કે બસમાં યાત્રા કરનારા લોકોને પણ સંક્રમણનુ જોખમ વધારે રહે છે. સ્ટડીમાં તે પણ સાબિત થયુ છે કે 62 ટકા પુરુષોના મોતનુ અનુમાન છે અને મહિલાઓની તુલનામાં આ વધારે છે. સ્ટડીના આધારે ભારતમાં સુગર જેવી બિમારી 40 વર્ષની ઉંમરમાં પણ થાય છે.