ભારત અને પાકિસ્તાનની વચ્ચે કોઇ ઐતિહાસિક દુશ્મની નથી પરંતુ આપણે એવા સમયમાં રહીએ છીએ જ્યાં આપણા દેશના કામકાજ વિરુદ્ધ કોઇ પણ ટીકા કરે છે અને અવાજ ઊઠાવે છે 'તું તો રાષ્ટ્ર વિરોધી છે ચલ પાકિસ્તાન જા.'
પરંતુ એવું લાગે છે કે વાસ્તવમાં પાકિસ્તાનીઓને 'રાક્ષસી' અને 'ખરાબ' માનવામાં આવી શકે નહીં. કારણ કે ખાનગી યૂટ્યૂબ ચેનલ દ્વારા ભારતીયોને વિશ્વાસ અપાવવા માટે એક વીડિયો બનાવવામાં આવ્યો છે.
આ વીડિયોમાં લાહોરના લિબર્ટી માર્કેટના વ્યસ્ત રસ્તાની ચારે બાજુ ફરતાં બે લોકોને જોઇ શકાય છે. એ લોકો રસ્તે આવતા જતાં લોકોને રોકે છે અને એમને પૂછે છે. 'શું તમે ભારતનો ઝંડો ફાડી નાંખશો?' વીડિયોમાં બે પુરુષો દેશભક્તિના પોતાના વિચાર પર પ્રશ્નો પૂછવાનું લોકો સાથે ચાલુ રાખે છે. લોકો કહી રહ્યા છે કે 'આ ખોટી વાત છે. એમની સાથે અમારે કંઇ છે નહીં તો કેમ ફાડીએ ઝંડો? તમે 10 લાખ પમ આપશો તો પણ અમે આ ઝંડો ફાડીશું નહીં.'
બદલામાં લોકોએ રાષ્ટ્રવાદ અને સમાનતાના દરેક દેશના વિચારોને સમ્માન આપવા ફરજિયાત માટે બંને લોકોને જાગરૂત કર્યા. આગણ જણાવતાં જો આપણને દરેક ધર્મનું સમ્માન કરવાનું કહેવામાં આવે છે તો અમે એક રાષ્ટ્રના ધ્વજ અને વિચારનું પ્રતિનિધિત્વ કરવું જોઇએ.
સત્ય એ છે કે તમને પાકિસ્તાનથી નફરત નથી. એક ભારતીય અથવા પાકિસ્તાની હોવાનો અર્થ એ નથી કે અન્ય દેશની આદર્શો તેમની ધાર્મિક માન્યતાઓ અને તેમની જીવનશૈલીને ધિક્કારવા માટે એક અસ્પષ્ટ નિયમ અથવા મજબૂરી છે.