તૂર્કીમાં આવેલા ભૂકંપમાં મરનાર લોકોની સંખ્યા 2000ને પાર પહોંચી છે અને 5000 લોકો ઘાયલ થયા હોવાથી મોતનો આંકડો હજુ પણ વધશે.
તુર્કી સપડાયું મોટી કુદરતી આફતમાં
પહેલો આંચકો સવારે, તીવ્રતા 7.8
મરનાર લોકોની સંખ્યા થઈ 2310
5000થી વધુ ઘાયલ, મૃતકોની સંખ્યા વધશે
એક દિવસમાં ત્રણ વાર ધરતીકંપના આંચકા
તુર્કીમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં મરનાર લોકોની સંખ્યા વધીને 2310ને પાર પહોંચી છે અને હજુ પણ મોતનો આંકડો વધશે કારણે કે ભૂકંપમાં 5000થી વધુ લોકો ઘાયલ થયા છે. તુર્કી અને સીરિયામાં સોમવારે સવારે 7.8 ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપથી 1,300 થી વધુ લોકો માર્યા ગયા છે અને 5,380 થી વધુ લોકો ઘાયલ થયા છે.
#UPDATE | More than 2,300 people killed so far due to deadly earthquakes in Turkey and Syria, reports The Associated Press #Turkey was hit by three consecutive devastating earthquakes of magnitude 7.8, 7.6 & 6.0.#TurkeyEarthquakepic.twitter.com/9HXMHf6usv
ત્રણ વારના ધરતીકંપને કારણે તુર્કીમાં મોટાપાયે ખાનાખરાબી સર્જાઈ હતી, મોટી મોટી બિલ્ડિંગો પત્તાના મહેલની માફક ધરાશાયી થઈ હતી. જાનમાલને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. ભૂકંપમાં 2818 ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ હતી અને કાટમાળ નીચેથી 2470 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, કાટમાળમાં હજુ પણ હજારો લોકો ફસાયેલા છે.
#UPDATE | Death toll due to devastating earthquakes in Turkey and Syria rises to 1,900, reports AP#TurkeyEarthquake
આજે એક દિવસમાં ત્રણ વાર આવ્યો ભૂકંપ
તુર્કીમાં આજે એક દિવસમાં 3 વાર ભૂકંપ આવ્યો હતો. 7.8નો પહેલો આંચકો પરોઢિયે 4.30 વાગ્યે આવ્યો હતો જે પછી બપોરે 7.6નો બીજો આંચકો આવ્યો અને સાંજના 6.00નો આંચકો આવ્યો હતો.
રાષ્ટ્રપતિ એર્દોગાને યોજી ઈમરજન્સી બેઠક
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને ભૂકંપના પગલે એક ઈમરજન્સી બેઠક યોજી હતી, જેમાં ભૂકંપ પીડિતો માટે શક્ય તમામ મદદની ઓફર કરવામાં આવી હતી. તુર્કીમાં સોમવારે પરોઢિયે 4:15 વાગ્યે આવેલા ભૂકંપમાં 1300થી વધુ લોકો માર્યા ગયા હતા જે પછી બીજા ભૂકંપમા પણ ઘણા માર્યા હતા અને સાંજે ત્રીજો ભૂકંપ પણ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગઝયાન્ટેપ વિસ્તારમાં હતું, જે સીરિયાની સરહદથી માત્ર 90 કિલોમીટર દૂર છે. સીરિયામાં પણ ભૂકંપની ઘણી અસર પડી હતી. સીરિયાના ઘણા શહેરોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તુર્કી અને સીરિયા બંનેમાં 6 વખત ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.
5000થી વધુ લોકો ઘાયલ
ભૂકંપમાં 5000થી વધુ લોકો ઘાયલ થયા હોવાથી મોતનો આંકડો હજુ પણ વધશે. ભૂકંપના આંચકાથી ગગનચુંબી ઈમારતો ધ્રુજવા લાગી હતી. આ હોનારતમાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે. અધિકારીઓએ મોટા પાયે અસરગ્રસ્ત શહેરોમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ રાખી છે.
ભૂકંપમાં તુર્કીની હોસ્પિટલ ધરાશાયી
આ ભયાનક ભૂકંપમાં તુર્કીની એક હોસ્પિટલ પત્તાની જેમ ધરાશાયી થઇ ગઇ હતી, જેમાં નવજાત શિશુઓ સહિત અનેક લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. તુર્કીના એક શહેર અદાનામાં એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તેના ઘરની નજીકની ઇમારત એક જ ઝાટકે ધરાશાયી થઈ ગઈ હતી.
ભારત NDRFની 2 ટીમો સહિત બીજી સામગ્રી મોકલશે
પીએમ મોદીની સૂચના પર વડાપ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રાએ તુર્કીને તાત્કાલિક મદદ આપવાના મુદ્દે મહત્વની બેઠક બોલાવી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે એનડીઆરએફ અને મેડિકલ ટીમોને શોધ અને બચાવ કામગીરી માટે તુર્કી મોકલવામાં આવશે. આ સાથે જ રાહત સામગ્રી પણ શક્ય તેટલી વહેલી તકે તુર્કી મોકલવામાં આવશે. એનડીઆરએફની બંને ટીમોમાં 100 જવાનો હશે. જેમાં ડોગ સ્કવોડનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત આ ટીમો પોતાની સાથે જરૂરી સાધનો પણ લઈ જશે. મેડિકલ ટીમમાં ડોક્ટર, અન્ય સ્ટાફ અને જરૂરી દવાઓ હશે.
1999ના ભૂકંપમાં 18,000 લોકોના થયા હતા મોત
તુર્કીની ભૌગોલિક સ્થિતિને કારણે અહીં અવારનવાર ભૂકંપ આવતા રહે છે. 1999માં આવેલા ભૂકંપમાં 18000 લોકોના મોત થયા હતા. ઓક્ટોબર 2011માં આવેલા ભૂકંપમાં 600થી વધુ લોકોના મોત થયા હતા.
તુર્કીમાં વારંવાર ભૂકંપ આવવાનું કારણ
તુર્કીનો મોટાભાગનો ભાગ એનાટોલિયન પ્લેટ પર છે. આ પ્લેટની પૂર્વમાં પૂર્વ એનાટોલિયન ફોલ્ટ છે. ડાબી બાજુ ટ્રાન્સફોર્મર ફોલ્ટ છે. જે અરેબિયન પ્લેટ સાથે જોડાય છે. દક્ષિણ અને નૈઋત્યમાં આફ્રિકન પ્લેટ આવેલી છે. જ્યારે, ઉત્તર દિશામાં યુરેશિયન પ્લેટ છે, જે ઉત્તરી એનાટોલિયન ફોલ્ટ ઝોન સાથે જોડાયેલી છે. હાલમાં તુર્કીની નીચે આવેલી એનાટોલિયન ટેક્ટોનિક પ્લેટ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરી રહી છે. એટલે કે, એન્ટિક્લોકવાઇઝ. વળી, અરેબિયન પ્લેટ પણ તેને ધક્કો મારી રહી છે. હવે જ્યારે અરેબિયન પ્લેટ ફરતી એનાતોલિયન પ્લેટને ધક્કો મારે છે ત્યારે તે યુરેશિયન પ્લેટ સાથે અથડાય છે. ત્યારે ભૂકંપના જોરદાર આંચકા આવે છે.
2023ના વર્ષનો સૌથી મોટો ભૂકંપ
તુર્કીમાં આવેલો ભૂકંપ 2023ના વર્ષનો સૌથી મોટો ભૂકંપ બન્યો છે. 7.9ની તીવ્રતાવાળો આ પહેલો મોટો ધરતીકંપ છે જેમાં હજારો લોકો માર્યા ગયા છે.