હિન્દુ ધર્મમાં કુલ સોળ સંસ્કાર હોય છે. જેમાં વ્યક્તિના મૃત્યું પછી અંતિમ સંસ્કાર એટલે કે સોળમો સંસ્કાર કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં વ્યક્તિના મૃત્યું પછી તેની અંતિમ યાત્રા કાઢવામાં આવે છે અને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે.
મૃત વ્યક્તિની અંતિમ યાત્રામાં પરિવાર અને સગા-વ્હાલામાંથી બધા પુરુષો જોડાય છે પરંતુ આ અંતિમ યાત્રામાં મહિલાઓ જોડાતી નથી. આજે અમે તમને જણાવશું કે આખરે કારણ શું છે કે મહિલાઓ અંતિમ યાત્રામાં કેમ નથી જોડાતી.
એવું માનવામાં આવે છે કે સ્મશાન ઘાટ પર હમેંશા નકારાત્મક ઉર્જા ફેલાયેલી હોય છે. મહિલાઓ શ્મશાન ઘાટ પર જાય તો આ નકારાત્મક ઉર્જા તેમના શરીરમાં ખૂબ જ સરળતાથી પ્રવેશી જાય છે. કારણ કે સ્ત્રીઓને કોમળ કાળજાની માનવામાં આવે છે.
હિન્દુ માન્યતાઓ મુજબ અંતિમ સંસ્કારમાં મૃતકના પરિવારને માથાના વાળ કપાવવા પડે છે. જેનુ કારણ એવું માનવામાં આવે છે કે અગ્નિ સંસ્કાર દરમિયાન વાતાવરણમાં કિટાણુઓ ફેલાઇ જાય છે. જેથી સ્મશાનમાં જ વાળ કપાવી મુંડન કરવામાં આવે છે અને ત્યારબાદ સ્નાન કરવામાં આવે છે. જ્યારે મહિલાઓના મુંડનને અશુભ માનવામાં આવે છે.
આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે સ્મશાન ઘાટ પર મૃત આત્માઓ ભટકતી હોય છે જે મહિલાઓના શરીરમાં પ્રવેશ કરી શકે છે. એટલે પણ મહિલાઓ સ્મશાનમાં નથી જઇ શકતી.