દુનિયામાં એવા ડરામણાં પ્રશ્નો છે જેનો જવાબ હજુ પણ શોધવાનો બાકી છે આવો જ એક પ્રશ્ન જોડાયેલો છે 'નંબર 13' ડરથી. જી હાં નંબર 13નું નામ સાંભળતા જ દેશ જ નહીં વિદેશોમાં પણ લોકો ટેન્શનમાં આવી જાય છે. પરંતુ શું તમે જાણો છો એનું પાછળ રહસ્ય શું છે.
મનોવૈજ્ઞાનિક લોકોએ આ 13 અંકના ડરને ટ્રિસ્કાઇડેકાફોબિયા અથવા થર્ટીન ડિજીટ ફોબિયાનું નામ આપ્યું છે. ખાસ વાત એ છે કે નંબર 13ના આ ડરના કારણએ લોકોની અંદર આત્મવિશ્વાસ ઓછો થઇ જાય છે. વિદેશોમાં તો એનો ડર એટલો છે કે 13 તારીખે ત્યાં સૌથી વધારે દુર્ઘટનાઓ થાય છે.
કેટલાક વિદ્ધાનોનું કહેવું છે કે 13 નંબર ન્યુમરોલોજીના હિસાબથી પમ શુભ માનવામાં આવતો નથી. એમનું કહેવું છે કે 12 નંબર પૂર્ણતાનું પ્રતીક છે અને એમાં એક બીજો નંબર જોડવા એટલે કે ખરાબ ભાગ્યનો સંકેત હોય છે. તમને જાણીને હેરાની થશે કે ઘણી ફાઇવ સ્ટાર હોટલ્સમાં તો 13 નંબરનો રૂમ હોતો જ નથી.
માનવામાં આવે છે કે એક વખત જ્યારે જીજસ પોતાના અનુયાયિઓની સાથે ભોજન કરી રહ્યા હતા. એ વખતે એમને મળીને કુલ 13 અનુયાયી ત્યાં હાજર હતા. ત્યારબાદ એમને ફાંસીએ ચઢાવી દેવામાં આવ્યા હતા. બ્રિટેનની એક જાણીતી હોટલમાં તો આજે પણ જો 13 લોકોનો ખાવાનો ઓર્ડર મળે છે તો ત્યારે પણ 14મી ખુરશી સજાવવામાં આવે છે અને એની પર કેસ્પર નામની બિલ્લીની મૂર્તિ રાખવામાં આવે છે. એટલે 13 ખુરશી નું ખાવાનું શુભ માનવામાં આવતું નથી.
બાળકો 13 વર્ષની ઉંમરમાં ટીનેજર બને છે અને આ જીવનની સૌથી સંવેદનશીલ અવસ્થા માનવામાં આવી શકે છે. આ ઉંમરનો સૌથી નાજુક સમય હોય છે. એટલા માટે માતા પિતા બાળકોનું આ ઉંમરમાં વધારે ધ્યાન રાખે છે.