તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડૉ.હંસરાજ હાથીનું કિરદાક નિભાવનાર કવિ કુમાર આઝાદના નિધનથી શોકમાં બહાર આવવા માટે હજુ સમય લાગશે. આ દુખને એમના શો ના સૈથીઓ માટે ભૂલવું ખરેખર મુશ્કેલ છે. શો ની અભિનેત્રી મુનમુને થોડાક દિવસો પહેલા આ શો ના સેટ પર કવિ કુમાર આઝાદના શૂટ થયેલા છેલ્લા સીનની વીડિયો પોસ્ટ કરી છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માં બબીતા જી નું કિરદાર નિભાવી રહેલી મુનમુન દત્તાએ લખ્યું 'આ એ સીન છે જ્યારે હાથી ભાઇએ શનિવારે અમારી સાથે શૂટ કર્યો હતો. ત્યારબાદ આગળ આવનારા એપિસોડમાં જે પણ સીન દેખાડવામાં આવશે એ એમની સાથે પહેલાથી જ શૂટ કરવામાં આવ્યા હતા.'
હાર્ટ અટેકના કારણે 9 જુલાઇએ કવિ કુમાર આઝાદનું નિધન થઇ ગયું. રિપોર્ટ્સનું માનીએ તો ડોક્ટર્સે એમના મોતનું કારણ એમનું વધેલું વજન જણાવ્યું હતું. ડોક્ટરે એમને બેરિએટ્રિક સર્જરી કરાવવાની પણ સલાહ આપી હતી. પરંતુ એમને ડોક્ટરની વાત માની નહીં. એનું કારણ હતું કે કવિ કુમાર આઝાદ ઇચ્છતા નહતા કે એમનું વજન ઓછું થાય અને એમને પોતાનું કિરદાર ડૉ.હાથીથી હાથ ધોવો પડે.