દિવાળીમાં જો ક્યાંય પણ આગની ઘટના બને તો 101 પર કોલ કરવો, ગુજરાત સરકારે બહાર પાડી માર્ગદર્શિકા
જો જો તમારું બાળક ફટાકડા ફોડતી વખતે દાઝી ન જાય
ગુજરાત સરકારે બહાર પાડી માર્ગદર્શિકા
શ્વાસને લઈ તકલીફ ધરવાતા લોકોને ઘરમા રહેવાનું સૂચન
દિવાળીમાં ફટાકડા ફોડવાને લઈને ગુજરાત સરકાર દ્વારા પહેલાથી જ જાહેરનામું બહાર પાડવામાં આવ્યા હતું. જે અંતર્ગત રાત્રે 8 થી લઈને 10 વાગ્યા સુધીજ ફટકાડા ફોડી શકાશે. ત્યારે હવે દિવાળી નિમિત્તે સલામતી અને સાવચેતી રાખવા પણ પણ તકેદારીની ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે.નાગરિકોને ફટાકટા ફોડતી વખતે આ નિયમોનું ચુસ્ત પાલન કરવા માટે જણાવવામાં આવ્યું છે.
ગ્રીન ફટાકડા તેમજ માન્યતા પ્રાપ્ત ફટાકડા ફોડવા માટેની મંજૂરી આપવામાં આવી છે. જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંઘ લાદી દેવામાં આવ્યો છે. સાથેજ ક્રિસમસ અને નૂતન વર્ષમાં રાતે 11.55 થી 12.30 સુધી ફટાકડા ફોડી શકાશે તેવી ગાઈડલાઈન પણ 29 ઓકટોબરના રોજ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડી દેવામાં આવી હતી. ફટાકડા ફોડતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, માતા પિતા એ શું કરવું. કયા ફટાકડા ફોડવાથી લઈ કયા કપડાં સાથે ફટાકડા ફોડવા સુધીના નિયમો ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે જેથી કોઈ અઘટિત ઘટના ન બને.
ગ્રીન ફટાકડા ફોડવા આગ્રહ
ગ્રીન ફટાકડાને કારણે ધ્વનિ પ્રદૂષણ ઘટે છે. સાથેજ વાતાવરણમાં પણ વાયુ પ્રદૂષણ 50 ટકા જેટલું ઓછું થાય છે. આપને જણાવી દઈએ કે ગ્રીન ફટાકડાને કારણે વાતાવરણમાં વાયુ પ્રદુષણ 50 ટકા ઘટી જાય છે. આ ફટાકડાથી ધૂમડો પણ ઓછો થાય છે અને નુકસાનકારક ગેસ પણ ઓછો પેદા નથી થતો. સાથેજ વાતાવરણમાં સુગંધ પણ પ્રસરી જાય છે.