કોરોનાની રીયલ એસ્ટેટ ઉદ્યાગને પણ માઠી અસર પહોંચી છે. કોરોના કાળમાં રાત્રી કર્ફ્યૂ અને કોરોનાની અસરને કારણે અનેક ડે્વલોપર્સ અને બિલ્ડરર્સને નુકસાન થઈ રહ્યું છે.
રીયલ એસ્ટેટમાં કોરોના વાયરસની ગંભીર અસર
અમદાવાદમાં કોમર્શિયલ પ્રોપર્ટીના બુકિંગમાં ઘટાડો
રો-મટિરિયલના વધતાં ભાવથી પણ રિયલ એસ્ટેટમાં મુશ્કેલી
કોરોનાને કારણે દેશમાં આર્થિક મંદી જેવો માહોલ છે, ત્યારે કોરોનાની રીયલ એસ્ટેટ ઉદ્યાગને પણ માઠી અસર પહોંચી છે. કોરોના કાળમાં રાત્રી કર્ફ્યૂ અને કોરોનાની અસરને કારમે અનેક ડે્વલોપર્સ અને બિલ્ડરર્સને નુક્સાન થઈ રહ્યું છે.
અમદાવાદમાં કોમર્શિયલ પ્રોપર્ટીના બુકિંગમાં ઘટાડો
શહેરના જાણીતા બિલ્ડર્સ પલક ડે્વલોપર્સના હિતેશ પટેલ જણાવ્યું કે કોરોનાને કારણે રીયલ એસ્ટેસ્ટ ઉદ્યાગ પર મોટી અસર થઈ છે. તેમના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં કોમર્શિયલ પ્રોપર્ટીના બુકિંગમાં ઘટાડો થયો છે. તેમજ ગ્રાઉન્ડ ફ્લોર શો રૂમ અને ફર્સ્ટ ફ્લોર રિટેલની માંગ તળિયે ગઈ છે, રેસ્ટોરન્ટ, ફેશન અને ટ્યુશન ક્લાસના બુકિંગ પણ ઘટ્યા છે.
નવી ઈન્ક્વાયરીમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો
બીજી તરફ જો વાત કરવામાં આવે તો નવી ઈન્કવાયરીમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.રો મટિરિયલના વધતાં ભાવથી પણ રિયલ એસ્ટેટમાં મુશ્કેલી જેવી સ્થિતિ સર્જાઈ છે. કોરોનાની અસર વચ્ચે શહેરમાં મકાનોના વેચાણમાં 15થી 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, જેમાં 45 લાખ કે તેથી નીચેની કિંમતના મકાનોમાં 80 ટકા સુધીનું વેચાણ જોવા મળ્યું છે. જેમાં 75 ટકાનું વેચાણ તો જાન્યુઆરીથી માર્ચ 2021ના ત્રિમાસિક ગાળામાં જોવા મળ્યું છે.
નવી ઈન્ક્વાયરીમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો
શહેરમાં ઓક્ટોબર-ડિસેમ્બર 2020ના ત્રિમાસિક ગાળામાં લોંચ થયેલા 35 પ્રોજેક્ટ સામે જાન્યુઆરી-માર્ચ 2021માં 58 જેટલા નવા પ્રોજેક્ટ લોન્ચ થયા છે. શહેરના નિકોલ, વટવા, વસ્ત્રાલ, શેલા, શીલજ, બોપલ અને હાથીજણમાં મોટી સંખ્યામાં વણવેચાયેલા મકાનો ઉભાં છે. જોકે સીમેન્ટ, લોખંડના ભાવ વધતાં નવા મકાનોના ભાવમાં પણ 20 ટકા સુધીના વધારાની શક્યતા જોવાઈ રહી છે.હાલ કોરોનાની સ્થિતિને લઈને માર્કેટમાં મંદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે જેની અસર રીયલ એસ્ટેટ પર પણ થઈ છે જેના કારણે હાલ મકાનોની કિંમતમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે એટલે કહી શકાય કે સપનાઓનું ઘર ખરીદવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે.