રક્ષામંત્રી રાજનાથસિંહ ફ્રાંસ પ્રવાસથી સ્વદેશ પરત ફર્યાં છે. ભારત પરત ફરતા જ રાજનાથસિંહે રાફેલ વિમાનની શસ્ત્ર પૂજા પર ચાલી રહેલા વિવાદ પર નિવેદન આપ્યું છે. રાજનાથસિંહે કહ્યું કે પૂજા પદ્ધતિ પર સવાલ કરવો યોગ્ય ન કહેવાય.
કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ રાફેલની ડિલવરી માટે ફ્રાંસ પ્રવાસે ગયા હતા. ત્યારે રાજનાથ સિંહે દશેરાના દિવસે રાફેલ મળ્યા બાદ તેની પૂજા કરી હતી. જો કે ભારતમાં કોંગ્રેસ દ્વારા તેને લઇને વિવાદ છેડવામાં આવ્યો હતો.
કોંગ્રેસે રાફેલની પૂજા પર આપી હતી પ્રતિક્રિયા
રાજનાથસિંહ દ્વારા રાફેલની પૂજા કરવામાં આવતા કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ બુધવારે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસ કહ્યું કે આટલો દેખાવડો કરવાની જરૂર નથી. બોફોર્સ તોપ જેવી ખરીદી જ્યારે કરવામાં આવી ત્યારની તત્કાલિન સરકાર દ્વારા આવો દેખાડો કરવામાં આવ્યો નહોતો.
અમિત શાહનો કોંગ્રેસને સવાલ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે કહ્યું હતું કે કોંગ્રેસે કઇ વસ્તુની નિંદા કરવી જોઇએ અને કઇ વસ્તુની નહી તેના પર ચિંતન-મનન કરવું જોઇએ. કેથલ ખાતેની પોતાની ચૂંટણી સભાને સંબોધન કરતાં અમિત શાહે રક્ષા મંત્રી રાજનાથસિંહ દ્વારા ફ્રાંસમાં દશેરાના દિવસે રાફેલ વિમાન મળ્યાં બાદ શસ્ત્ર પૂજા કરવાની નિંદાને લઇને કોંગ્રેસને આડે હાથ લીધી હતી.
Rajnath Singh on Shastra Puja in France: I did what I thought was appropriate. This is our faith, that there is a super power&I have believed it since childhood. I feel there must have been division over the issue in Congress too,it must not have been everybody's opinion. #Rafalehttps://t.co/VBpgsawKaApic.twitter.com/Ot8hQfty5w