વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અઘાનોમે ચેતવણી આપી છે કે કોરોના બાદ પણ દુનિયા સામે મહામારીનો ખતરો કાયમ રહી શકે છે. તેઓએ કહ્યું છે કે જો દુનિયા કોરોના પર કાબૂ મેળવવામાં સફળ રહેશે તો પણ આ છેલ્લી મહામારી નહીં હોય. ટેડ્રોસે દેશને પોતાના હેલ્થ સિસ્ટમમાં વધારે રોકાણ કરવાની સલાહ આપી છે.
WHOના ચીફની દુનિયાને ચેતવણી
કોરોના વાયરસ છેલ્લી મહામારી નથી
દેશને હેલ્થ સિસ્ટમમાં વધારે રોકાણ કરવાની આપી સલાહ
જેનેવામાં એક પ્રેસ કોન્ફરન્સમાં WHO ચીફે કહ્યું કે કોરોના દુનિયાની છેલ્લી મહામારી નથી. ઈતિહાસ શીખવે છે કે દુનિયામાં મહામારી ફેલાવવું જીવન સાથે જોડાયેલું સત્ય છે. ફરી વાર મહામારી ફેલાય તો દુનિયાએ તૈયાર રહેવું જોઈએ, તેઓએ કહ્યું કે તેના માટે દુનિયાભરના દેશોએ પોતાની હેલ્થ સિસ્ટમને મજબૂત કરવાની રહેશે અને વધારે રોકાણ કરવાનું રહેશે.
લાંબા સમય સુધી મહામારી ટકવાની આપી ચેતવણી
આ પહેલાં ઓગસ્ટમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસને લઈને એક ચેતવણી આપતાં કહ્યું કે આ મહામારી લાંબા સમય સુધી રહી શકે છે. WHOના છ મહિનાના મૂલ્યાંકન પર આપાત કમિટીથી મુલાકાત બાદ કહ્યું હતું કે કોરોના મહામારી લાંબા સમય સુધી રહી શકે છે. કોરોનાના ખતરાના મૂલ્યાંકનને લઈને કહ્યું કે કોરોના સંક્રમણ દુનિયામાં ફેલાતા 7 મહિના થઈ ચૂક્યા છે અને કમિટી તેનું મૂલ્યાંકન 4 વખત કરી ચૂકી છે. બેઠટકમાં કોરોનાના ખતરાને વધારે નક્કી કરાયો હતો.
2 કરોડ 70 લાખથી વધારે લોકો થઈ ચૂક્યા છે કોરોના સંક્રમિત
ઉલ્લેખનીય છે કે આખી દુનિયામાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 27430458 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. આ મહામારીના કારણે 895268 લોકો પોતાનો જીવ ખોવી ચૂક્યા છે. ભારત હવે દુનિયામાં મહામારીનું એપીસેન્ટર બની ચૂક્યું છે. રોજ 80 હજારથી વધારે કેસ આવી રહ્યા છે ત્યારે હવે દેશમાં 4204613 કેસ આવ્યા છે. તેમાંથી 3250429 લોકો રિકવર થયા છે. એક્ટિવ કેસ 882542 છે અને 71642 લોકો મોતના મુખમાં પહોંચી ચૂક્યા છે.