કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે પેગાસસ જાસૂસીના આરોપોની જેપીસી તપાસ કરાવવાની માગ કરતા જણાવ્યું કે પીએમ મોદી સંસદને સ્પસ્ટ જણાવે કે જાસૂસી થઈ છે કે નહીં.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમનો સવાલ
પીએમ મોદી સંસદને સ્પસ્ટ જણાવે કે જાસૂસી થઈ છે કે નહીં
પેગાસસ જાસૂસીના આરોપોની જેપીસી તપાસ કરાવો
પી.ચિદમ્બરમે કહ્યું કે બીજો વિકલ્પ એ પણ છે કે સુપ્રીમ કોર્ટના કોઈ જજની દેખરેખમાં આ કેસની તપાસ કરાવવામાં આવે. પ્રધાનમંત્રી મોદીએ આ અંગે સંસદમાં સ્પસ્ટ કરવું જોઈએ કે જાસૂસી થઈ છે કે નહીં.
જાસૂસીકાંડની જેપીસી તપાસ કરાવવામાં આવે
પી.ચિદમ્બરમે કહ્યું કે મને માનવામાં નથી આવતું કે કોઈ એ હદ સુધી કહી શકે 2019 ની આખી ચૂંટણી ગેરકાનૂની જાસૂસીથી પ્રભાવિત કરવામાં આવી. તેમણે કહ્યું કે આનાથી ભાજપને વિજય મેળવવામાં મદદ મળી હોય તેવું બની શકે છે. આ અંગે આરોપ પણ લાગ્યા હતા.
જેપીસીની તપાસ સંસદીય સ્થાયી સમિતી કરતા પણ વધારે અસરકારક બની શકે છે.
તેમણે કહ્યું કે જેપીસીની તપાસ સંસદીય સ્થાયી સમિતી કરતા પણ વધારે અસરકારક બની શકે છે. જેપીસીને સંસદ દ્વારા વધારે અધિકાર મળી શકે છે. સંસદીય સમિતીના નિયમો કડક છે. ઉદાહરણ તરીકે જેપીસી જાહેરના પુરાવા લઈ શકતી નથી. પરંતુ જેપીસીને જાહેરના સાક્ષીઓ લેવા, પૂછપરછ કરવી તથા દસ્તાવેજો એકત્ર કરવાનો અધિકાર મળી શકે છે. તેથી મને લાગે છે કે જેપીસીની પાસે સંસદીય સમિતિની તુલનામાં ઘણી વધારે શક્તિઓ હશે.