જ્યારે કોઈ વ્યક્તિના શરીરમાં અચાનક જ લોહીની સપ્લાઈ અટકી જાય છે ત્યારે હાર્ટ અટેક આવે છે.
ભારતમાં હ્રદયના દર્દીઓની સંખ્યા ઘણી વધુ છે. જો કે હાલની લાઈફસ્ટાઈલ મુજબ વૃધ્ધોમાં જ નહીં પણ યુવાઓમાં પણ આ બીમારી ફેલાતી જાય છે. ઘણી વખત એવું બને કે વ્યક્તિ ફિટ છે કે સ્વસ્થ અને તંદુરસ્ત છે પણ ખરેખરમાં એવું નથી હોતું.પાછલા થોડા સમયમાં ઘણા એવા સેલેબ્રિટીઓ વિશે સમાચાર આવ્યા છે કે હાર્ટ અટેકને કારણે એમનું મૃત્યુ થઈ ગયું છે. સિધ્ધાર્થ શુક્લા, પુનિત રાજકુમાર અને સિંગર કેકેનું નામ પણ આમાં શામેલ છે. એવામાં ઘણી વખત એવો વીચાર આવે કે આપણી આસપાસ રહેલ માણસોને અચાનક હાર્ટ અટેક આવી જે તો શું કરવું જો આવી પરિસ્થિતિ તમારી સામે આવે તો તમે એમનું જીવન કેવી રીતે બચાવી શકો છો, ચાલો ડિટેલમાં આજે અમે તમને જણાવીએ..
જ્યારે કોઈ વ્યક્તિના શરીરમાં અચાનક જ લોહીની સપ્લાઈ અટકી જાય છે ત્યારે હાર્ટ અટેક આવે છે. આ અચાનક લોહીનું સપ્લાઈ અટકી જાય તેમાં કોરોનરી આર્ટરીમાંમાં લોહી જમા થવાને કારણે થાય છે. જેનાથી હ્રદય સુધી લોહી પંહોચતુ અટકી જાય છે અને છાતીમાં અસહ્ય દુખાવો અનુભવાય છે.
હાર્ટ અટેક આવ્યા પછી શું કરવું જોઈએ?
સિંગર કેકેના પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરે જણાવ્યું હતું કે એમના હ્રદયની નશોમાં ઘણા બ્લૉકેજ હતા અને જો એમને સમય રહેતા સીપીઆર આપવામાં આવ્યું હોત તો એમનો જીવ બચી શક્યો હોત. હાર્ટઅટેક આવવા પર દર્દીને તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવે છે. જો આસપાસમાં મેડિકલ હેલ્પ ન મળે તો તેને સીપીઆર આપવાનું શરૂ કરી દેવું જોઈએ.
સીપીઆર શું છે?
સીપીઆર એટલે કાર્ડિયો પલ્મોનરી રીસસીટૌશન(Cardiopulmonary Resuscitation) જેમાં બેભાન થયેલ દર્દીની છાતી પર દબાણ આપવામાં આવે છે અને સાથે જ મોંઢા દ્વારા કૃત્રિમ શ્વાસ પણ આપવામાં આવે છે. ઘણી વખત હાર્ટ અટેક વખતે અને શ્વાસ ન આવે એ વખતે દર્દી પર સીપીઆરનો પ્રયોગ કરવાથી એમનો જીવ બચાવી શકાય છે. જો કોઈ વ્યક્તિને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે અને હ્રદય કામ કરતું અટકી જાય ત્યારે એમના શરીરમાં ઑક્સીજન પૂરું થવા લાગે છે અને એ મૃત્યુ તરફ આગળ વધે છે. એ ક્ષણે જો સમય રહેતા એમને સીપીઆર મળી રહે તો એમનો જીવ બચી શકે છે.
કેવી રીતે આપવો સીપીઆર?
સીપીઆર વિશે હજુ ઘણા લોકો અજાણ છે તો તમને જણાવી દઈએ કે આ એક મેડિકલ થેરેપી છે જે સમય રહેતા હ્રદય અને શ્વાસની ખામીથી પીડાતા દર્દીને મળી રહે તો એમનો જીવ બચવાની સંભાવના ઘણી વધી જાય છે. તમને જણાવી દઈએ કે આ કોઈ મેડિકેશન નથી પણ આ એક પ્રોસેસ છે જેમાં સામાન્ય સ્થિતિમાં જ્યારે અચાનકથી કોઈનો શ્વાસ રોકાવા લાગે તો એ વ્યક્તિની છાતી પર દબાણ આપી અને મોઢા દ્વારા ઑક્સીજન આપીને એમને નવું જીવન દાન આપી શકાય છે. જો તમારી આસપાસ કોઈ વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય અને શ્વાસ અટકી જાય તો તમે એમને આ રીતે સીપીઆર આપીને એમનો જીવ બચાવી શકો છો.