રાજ્યમાં સતત બીજું વર્ષ પૂર્ણ થવા આવ્યું છે ઓન લાઈન શિક્ષણને. ત્યારે ઓન લાઈન અભ્યાસની આડ અસર જોવા મળી છે. પરિણામે મહેસાણા જિલ્લામાં 2200 વિદ્યાર્થીઓને ચશ્માં આવ્યા
મહેસાણામાં સરકારી શાળાના બાળકો 'ચશ્માગ્રસ્ત'
DEO એ શાળાના બાળકોનું કરાવ્યું સ્ક્રીનિંગ
2200 જેટલા બાળકોને આવી ગયા ચશ્માના નંબર
રાજ્યમાં સતત બીજું વર્ષ પૂર્ણ થવા આવ્યું છે ઓન લાઈન શિક્ષણને.ત્યારે ઓન લાઈન અભ્યાસની આડ અસર જોવા મળી છે. આ પ્રકારના શિક્ષણના પરિણામે મહેસાણા જિલ્લામાં 2200 વિદ્યાર્થીઓને આવ્યા ચશ્માં આવી ગયા છે. આ આંકડાઓ માત્ર સરકારી પ્રાથમિક શાળાઓના જ છે. જેમાં બાળકોના શિક્ષણ સાથે સ્વાસ્થ્ય પર આડ અસર જોવા મળી છે. મહેસાણાના DEO ઓમપ્રકાશે શાળાના બાળકોનું સ્ક્રીનિંગ કરાવ્યું હતું. જેમાં શાળાઓના બાળકોને સતત મોબાઇલ અને કોમ્પ્યુટરમાં જોવાને કારણે આંખ પર અસર જોવા મળી હતી . જો કે હમણાં ઓનલાઈન અભ્યાસ સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી
અગાઉનો અહેવાલ
જોકે હાલના સમયે ઓનલાઈન અભ્યાસ સિવાય અન્ય કોઈ વિકલ્પ નજરે પણ પડતો નથી. બાળકો સાથે સંબંધિત સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનિસેફના એક રિપોર્ટમાં જણાવાયું છે કે, દુનિયાભરના 46.30 કરોડ બાળકો લોકડાઉનમાં શાળાઓ બંધ થઈ ત્યારથી જ શિક્ષણથી વંચિત છે. લગભગ100 દેશોની સ્થિતિનો ચિતાર આપતા આ રિપોર્ટ પ્રમાણે, સ્કૂલ બંધ થવાથી દુનિયાભરના લગભગ દોઢ અબજ બાળકોને નુકસાન થયું છે.
શિક્ષણ પદ્ધતિ બોજ સમાન
ઓનલાઈન શિક્ષણ પદ્ધતિ શિક્ષકો માટે પણ મોટો પડકાર છે. તેમણે ખૂબ મહેનત કરવી પડે છે અને છતાં પણ ઘણી વખત તેમને જશ મળવાના બદલે અપજશ મળતો હોય છે. આ કારણે જ શિક્ષકોમાં પણ બાળકોને કંઈક નવતર શિખવવાનો ભાવ ઓછો અને પોતાની જવાબદારી પૂર્ણ કરવાનો ભાવ વધુ દેખાઈ રહ્યો છે.ઓનલાઈન શિક્ષણ પદ્ધતિની સૌથી મોટી ખામી એ છે કે, નાના બાળકો તેમાં પૂરી રીતે જોડાઈ શકતા નથી. તેમને આ શિક્ષણ પદ્ધતિ બોજ સમાન લાગે છે.
ઘણી શાળાઓમાં તો વોટ્સએપ પર એક જ દિવસમાં કોઈ એક વિષયના આઠ-દસ પેજ મોકલીને બાળકોને આ હોમવર્ક પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવે છે. એક સાથે આટલું હોમવર્ક બાળકને અંદરથી ડરાવી દે છે અને તે શિક્ષણથી દૂર ભાગવા લાગે છે. એ વાત પણ દુર્ભાગ્યપૂર્ણ છે કે, આજે નાના બાળકો માટેના ઓનલાઈન શિક્ષણને વધુ સર્જનાત્મક અને રસપ્રદ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા નથી. સર્જનાત્મકતાના માધ્યમથી જ બાળકોમાં શિક્ષણ પ્રતિયે રસ-રુચિ જાગ્રત કરી શકાશે. આ સમસ્યા માટે મોટાભાગે સ્કૂલોનું મેનેજમેન્ટ પણ જવાબદાર છે. મોટાભાગની ખાનગી સ્કૂલોનું મેનેજમેન્ટ શિક્ષકોને પોતાના ‘ગુલામ’ સમજે છે. આ કારણે તેઓ શિક્ષકો પર સાવ અવ્યવહારુ નિર્ણયો પણ થોપી દેતા હોય છે. આ મામલે સરકારી સ્કૂલોનું વલણ તો સાવ પરંપરાગત અને ‘સરકારી’ જ છે.
ગામડાંના બાળકો વિશે પણ વિચારવું જ પડશે
ઓનલાઈન શિક્ષણની આ પ્રક્રિયામાં આપણે ગામડાંના બાળકો વિશે પણ વિચારવું જ પડશે. હજુ સુધી આ પ્રક્રિયામાં આપણું ધ્યાન ગામડાંનાં બાળકો પર સાવ ગયું જ નથી. મૂળ વાત એ છે કે, નાનાં બાળકો માટે ઓનલાઈન શિક્ષણને વધુ વ્યવહારુ અને વૈજ્ઞાનિક બનાવવું જોઈએ. વિશ્વવ્યાપી આપત્તિની આ ઘડીમાં આપણે ફક્ત એ વાત વિશે જ ના વિચારવું જોઈએ કે શિક્ષણના મામલે બાળકોને નુકસાન થઈ રહ્યું છે. આપણે એ પણ વિચારવું જોઈએ કે, આ નુકસાનની ભરપાઈ વ્યવહારુ પદ્ધતિથી કઈ રીતે થઈ શકે તેમ છે. આ કપરા કાળમાં આપણે બાળકો પર આપણા મનસ્વી નિર્ણયો થોપી દેવાના બદલે તેમને સમજીને તેમની સાથે ઊભા રહેવું જોઈએ.