જ્યારથી દિશા વકાણીએ શો થી લીવ લીધી છે ત્યારથી એના ઘણા ફોટો સામે આવી રહ્યા છે. દિશાની એક ઝલક માટે લોકો આતુર છે. હવે સોશ્યલ મીડિયા પર દિશા વકાણીનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે.
દિશાની એક ઝલક માટે લોકો આતુર છે
સોશ્યલ મીડિયા પર દિશા વકાણીનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે
એક્ટ્રેસ દિશા વકાણીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડે લગભગ બે વર્ષ થઇ ગયા છે. હવે શો માં જલ્દીથી જ દિશા વકાણી નજરે આવશે, પરંતુ માત્ર એક સીક્વેન્સ માટે. પરંતુ જ્યારથી દિશા વકાણીએ શો થી લીવ લીધી છે ત્યારથી એના કોઇ ફોટો પણ સામે આવ્યા નથી. દિશાની એક ઝલક માટે લોકો આતુર છે. હવે સોશ્યલ મીડિયા પર દિશા વકાણીનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે.
વાસ્તવમાં શો માં દેખાડવામાં આવ્યું હતું કે જેઠાલાલ ત્યાં સુધી ગરબા નહીં કરે જ્યાં સુધી દયા પાછી આવી જતી નથી. દિશા વકાણીની વાપસીનો સીન બોરીવલીના અંબા માતાના મંદિરમાં શૂટ થયું છે. જ્યારે આ સીક્વેન્સ શૂટ થઇ રહી હતી ત્યારે ત્યાં કેટલાક ક્રૂ મેમ્બર હાજર હતા, ત્યારનો દિશા વકાણીનો એક ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ છે.
એક રિપોર્ટ અનુસાર જ્યારે દિશા ગાડીમાં બેસવા જઇ રહી હતી ત્યારે આ ફોટો ક્લિક કરવામાં આવ્યો., ફોટો ક્લિક થતા પહેલા દિશા વકાણીએ મા ના મંદિરમાં પ્રાર્થના કરતા સ્પોટ થઇ.
દિશાની શો માં એન્ટ્રી પર શું કહ્યું હતું પતિ મયૂરે?
એક મીડિયા સાથે વાતચીત કરતાં દિશાના પતિ મયૂરે જણાવ્યું છે કે, 'એને એપિસોડ માટે એક પોર્શન શૂટ કર્યો છે, પરંતુ મેકર્સની સાથે અમારી વાતચીતનો હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. તો હાલ દિશા સમગ્ર રીતે શો માં આવી રહી નથી. મને આશા છે કે અમે કોઇ સમાધાન પર પહોંચીશું.'