જમ્મુમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના 83મા સ્થાપના દિવસે ગૃહમંત્રી અમિત શાહે એક મોટું નિવેદન આપ્યું છે.
ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા જમ્મુની બે દિવસની મુલાકાતે
કહ્યું આગામી થોડા વર્ષોમાં રાજ્યમાં નહીં રહે સીઆરપીએફની જરુર
કાશ્મીરમાંથી આતંકનો થઈ જશે સફાયો
ગૃહમંત્રી અમિત શાહે શનિવારે જમ્મુમાં મોટું નિવેદન આપ્યું હતું.તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં થોડા વર્ષોમાં સીઆરપીએફની જરૂર નહીં પડે. શાહ અહીંના મૌલાના આઝાદ સ્ટેડિયમમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના 83મા સ્થાપના દિવસે એક સભાને સંબોધિત કરી રહ્યા હતા.
#WATCH | Union Home Minister Amit Shah along with Lt Governor Manoj Sinha chairs a security review meeting with senior officials at Raj Bhawan in Jammu. pic.twitter.com/uCQDLT7zHs
કાશ્મીરમાં આતંકવાદ ખતમ થવાની તૈયારીમાં
ગૃહમંત્રીએ કહ્યું કે 1990માં કાશ્મીરમાં આતંકવાદ અને કાશ્મીરમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ ચરમસીમાએ હતો. દરેક જણ કાશ્મીરની પરિસ્થિતિથી ચિંતિત હતા. આ સાથે જ છેલ્લા બે દાયકામાં સીઆરપીએફે કાશ્મીરમાં જે લડાઈ લડી તે આસાન નહોતી. સારી વાત એ છે કે હવે કાશ્મીરમાં આતંકવાદ ખતમ થવાની તૈયારીમાં છે.
The resolve with which CRPF has been working in Kashmir,Naxal areas & Northeast,I'm confident that within next few years, we may not require use of CRPF & maintain complete peace in 3 regions & if it happens, the whole credit goes to CRPF:Union Home Min Amit Shah in Jammu (19.03) pic.twitter.com/3HQGZW1llP
સીઆરપીએફના જવાનોની ભૂમિકા મહત્વની
ગૃહમંત્રી શાહે પણ સીઆરપીએફના વખાણ કર્યા, તેમણે કહ્યું કે, મને વિશ્વાસ છે કે, અમે જલ્દી શાંતિ પુન:સ્થાપિત કરી શકીશું. આમાં સીઆરપીએફના જવાનોની ભૂમિકા મહત્વની છે. મધ્ય ભારતનો નક્સલ પ્રભાવિત વિસ્તાર હોય, કાશ્મીરમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ હોય કે પછી પૂર્વોત્તરમાં આતંકવાદી દળો હોય, સીઆરપીએફએ આવા જૂથોને ખતમ કરવામાં અને ત્રણ પ્રદેશોમાં શાંતિ સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
Jammu & Kashmir | Union Home Minister Amit Shah along with Lieutenant Governor, Manoj Sinha, visited the site of the proposed high-security prison in Mahanpur, Kathua district: J&K Govt pic.twitter.com/2LwBvMR9SB
દેશમાં ક્યાંય પણ તોફાનો થાય તો સીઆરપીએફની તહેનાતીને કારણે લોકો સુરક્ષિત અનુભવે છે અને શાંતિથી ઊંઘે છે. એટલા માટે જ દેશનું દરેક બાળક તમને પ્રેમ કરે છે.
સીઆરપીએફને આધુનિક હથિયારોથી સજ્જ કરવાની દિશામાં કામ
શાહે કહ્યું કે પીએમ મોદીએ ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે, જેના માટે દેશમાં આંતરિક સુરક્ષા જરૂરી છે. સીઆરપીએફ તેના માટે હંમેશા તૈયાર રહે છે. તેમણે સીઆરપીએફના મહાનિર્દેશક કુલદીપ સિંહના નેતૃત્વની પણ પ્રશંસા કરી હતી. અમે સીઆરપીએફને આધુનિક હથિયારોથી સજ્જ કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ.