દિગ્ગજ અભિનેતા રજનીકાંતને હાલમાં તેમના સ્વાસ્થ્યને લઇને અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેમને હૈદરાબાદની હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે હાલમાં જ રજનીકાંતને લઇને મોટી વાત બહાર આવી છે.
રજનીકાંત માટે લેવાયો આ નિર્ણય
ભારતમાં પહેલીવાર લેવાયો આ નિર્ણય
રજનીકાંત માટે થશે આ બદલાવ
ફિલ્મના સેટને એક શહેરથી બીજા શહેર લઇ જવાશે
મિડીયા રિપોર્ટનું જો માનીએ તો જે ફિલ્મના સેટ પર રજનીકાંતની તબિયત ખરાબ થઇ હતી તે ફિલ્મના સેટને એક શહેરથી બીજા શહેર શિફ્ટ કરી દેવામાં આવશે. જેથી રજનીકાંત શૂટિંગ પૂર્ણ કરી શકે.
રજનીકાંતને પ્રોડ્યુસરના પૈસાની ચિંતા
સૂત્રોનું જો માનીએ તો આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો જ્યારે રજની આ ફિલ્મનું શૂટિંગ કરવા માટે તૈયાર થયા હતા. રજનીને તે ફિલ્મના પ્રોડ્યુસરના અટકેલા પૈસાની ચિંતા થઇ રહી છે. જે માટે રજની ફિલ્મનું શૂટિંગ કરવા તૈયાર થઇ ગયા છે. આવા સમયમાં ડૉક્ટર્સે કહ્યું છે તે તેમને તણાવ ન થાય તે રીતે શૂટિંગ કરવું.
શૂટિંગ હૈદરાબાદ નહી ચેન્નઇમાં થશે
ફિલ્મ અન્નાથેની શૂટિંગ હૈદરાબાદમાં નહી પરંતુ રજનીકાંત માટે ચેન્નઇમાં કરવામાં આવશે. ભારતીય ફિલ્મના ઇતિહાસમાં પહેલીવાર આવું થયુ છે કે કોઇ એક્ટર માટે આ પ્રકારનો નિર્ણય લેવાયો હોય. આ તો રજનીકાંત છે, જ્યાં રજની છે ત્યાં બધુ જ સંભવ છે.
સાવધાની રાખવી
હોસ્પિટલ તરફથી આપવામાં આવેલા હેલ્થ અપડેટ પ્રમાણે રજનીકાંતને કોઇ ગંભીર સમસ્યા નથી. ડૉક્ટર્સ તરફથી રજનીકાંતને સંપૂર્ણ બેડરેસ્ટ કરવાની સલાહ આપવામાં આવી હતી. કોરોના વાયરસના સંક્રમણના કારણે તેમને પણ સાવધાની રાખવા માટે કહેવામાં આવ્યું છે.