ખેડૂતો હવે સમૃદ્ધ ખેતી પાછળ વળ્યા છે જેને લઈને કેટલાક ખેડૂતો દમદાર થઈ ગયા છે એવા જ કામની આસપાસ રહેતા ખેડૂતો આજે સારો ઉપજાવ કરીને આગળ વધી રહ્યા છે.
ખેડૂતો હવે 35 વર્ષથી નીલગીરીની ખેતી તરફ વળ્યા
નીલગીરી ત્રણ વર્ષથી 21 વર્ષ સુધીની નીલગીરી થતી હોય છે
1800 હેક્ટર કરતાં પણ વધુ જમીન પર નીલગીરીનું વાવેતર
ખેડૂતો હવે સમૃદ્ધ ખેતી પાછળ વળ્યા છે જેને લઈને કેટલાક ખેડૂતો દમદાર થઈ ગયા છે એવા જ કામની આસપાસ રહેતા ખેડૂતો આજે સારો ઉપજાવ કરીને આગળ વધી રહ્યા છે ખેતીના વ્યવસાયમાં આમ તો ખોટ જતી હોય છે પરંતુ અહીં એક ગામમાં વ્યવસાય સારો કરીને ખેડૂતો સમૃદ્ધ થતા જોવા મળ્યા છે કયો છે વ્યવસાય અને કઈ રીતે ઉપજ મેળવીને ખેડૂતો આગળ વધે છે.
નીલગીરી ત્રણ વર્ષથી 21 વર્ષ સુધીની નીલગીરી થતી હોય છે
કાલોલ તાલુકાના મલાવ ગામની આસપાસ રહેતા ખેડૂતો અંદાજિત 35 વર્ષથી નીલગીરીની ખેતી તરફ વળ્યા છે. મલાવ , અલવા, જીલ્યા ,રાબોડ , ઉતરેડિયા જેવા ગામોમાં હવે ખેડૂતો નીલગીરી નો વાવેતર કરતા જોવા મળ્યા છે. નીલગીરી ત્રણ વર્ષથી 21 વર્ષ સુધીની નીલગીરી થતી હોય છે મોટાભાગના ખેડૂતો ચારથી પાંચ વર્ષે નીલગીરીને કટીંગ કરાવી નાખતા હોય છે આ નીલગીરીનો વાવેતર કરવા માટે ઓછી મહેનતે વધુ પાકને માવજત મળી રહે છે નુકસાન પણ ઓછું જ જાય છે નીલગીરીનું વાવેતર કર્યા પછી ખાતર પાણી નાખ્યા બાદ વર્ષમાં બે થી ચાર વખત પાણી આપવાનું રહેતું હોય છે જેના કારણે નીલગીરીના છોડ સ્વસ્થ રહે છે.
1800 હેક્ટર કરતાં પણ વધુ જમીન પર નીલગીરીનું વાવેતર
ખેડૂતો એક વીઘા પાછળ અંદાજે 5 થી 15 હજાર જેટલો ખર્ચો કરે છે જ્યારે ખેડૂતને એ ઉપજાવ બે થી અઢી લાખ જેટલો પાંચ વર્ષે મળી રહે છે ખેડૂતો નીલગીરી પાછળ એટલા માટે વળ્યા છે કે છેલ્લા કેટલાય સમયે થી જંગલી જાનવર એટલે કે ભૂંડ નીલગાય જેવા જાનવરના ત્રાસને કારણે ખેડૂતો ખેતી કરી શકતા નથી જ્યારે મલાવ ગામની અંદર આજુબાજુના 1800 હેક્ટર કરતાં પણ વધુ જમીન પર નીલગીરીનું વાવેતર કરેલું છે ગામના લોકો ગામમાંથી નાના છોડ લાવીને વાવેતર કરે છે.
હજારો ખેડૂતો અસંખ્ય નીલગીરીના છોડનું વાવેતર કરે છે
પંચમહાલ જિલ્લાના આ મુખ્ય મલાવ ગામ જોવા જઈએ તો સમૃદ્ધ ગામ કહેવાય છે મોટા વેપારીઓ નીલગીરીને આંધ્રપ્રદેશ તે લાવી તેની મુખ્ય માવજત કરીને તેને ખેડૂતોને વેચતા હોય છે એક છોડ પાંચ રૂપિયાનો મળતો હોય છે હજારો ખેડૂતો અસંખ્ય નીલગીરીના છોડનું વાવેતર કરે છે વાવેતર કર્યા બાદ નીલગીરી એકદમ પકાઉ થઈ જાય ત્યારે વેપારીને જાણ કર્યા બાદ તેને ઉચ્ચક અથવા તેના વજન પર સોદા મારવામાં આવતા હોય છે ખેડૂતો તેમની ખેતી કરીને વેપારીને વેચતા સમયે જેમ જેમ વેપારી આવે તેમાં અલગ અલગ સાઈઝની નીલગીરી કટીંગ કરતા હોય છે જેમ 8 ફૂટ 10 ફૂટ 12 ફૂટ 15 ફૂટ અને તેમજ ટોપ અઢીથી ત્રણ ની સાઈઝનો અલગ અલગ કટીંગ કરી આપતા હોય છે.
આજુબાજુના ગામના લોકો અને ખેડૂતો તેમજ વેપારીઓ ગુજરાન ચલાવે છે
આંધ્ર પ્રદેશથી સમગ્ર નીલગીરી લાવીને ખેડૂતો તેમના ઉપર પકવીને વેપારીઓ અલગ અલગ પ્રકારનો કટીંગ કરાવે છે જેને લઈને અઢીથી ત્રણ લાખ ઉપરાંત લવ ખેડૂતોને મળે છે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ટેકા વેચાય છે આ ટેકા મુખ્યત્વે સેન્ટીંગમાં વપરાતા હોય છે વધુ જાડાઈ વાળા ટીકા વિનિયર અને પ્લાય ની સીટો માટે વપરાતા હોય છે નોર્મલ ટેકા છોડનું વાવેતર કરે ત્યારે તેને ઉભો કરવા માટે પણ લગાવતા હોય છે આજે વેપારી પણ તેનો વ્યવસાય કરીને રાજ્યના અને કણે મોકલીને તેમાંથી સારો મેળવી પૈસાદાર થતા હોય છે વર્ષોથી નીલગીરીનો વ્યવસાય કરીને આજુબાજુના ગામના લોકો અને ખેડૂતો તેમજ વેપારીઓ ગુજરાન ચલાવે છે
હાલમાં જોવા જઈએ તો મલાવ ગામની આસપાસના ખેડૂતો જંગલી જાનવરના ત્રાસને કારણે આ ખેતી તરફ પડ્યા છે ત્યારે ખેડૂતો માલામાલ થઈ ગયા છે જેનો દેખીને આગળ પાછળના વિસ્તારોમાં પણ હવે ખેડૂતો નીલગીરી પાછળ વળ્યા છે.