ધોરાજીની કોંગ્રેસ નગરપાલિકા દ્વારા ટેક્સ માં વધારો કરતા શહેરમાં ટેક્સનો વિરોધ ઉઠ્યો છે, ધોરાજી નગર પાલિકામાં આ વર્ષ થી ટેક્સ માં 850 રૂપિયા જેટ્લો વેરાનો વધારો કરવામાં આવ્યો
નગરપાલિકા ધોરાજીએ ઝીંકી દીધો વેરો
વિકાસના કામો ન થતાં હોવાનો આક્ષેપ
રૂપિયા 850ના વધારાનો ચેમ્બરનો વિરોધ
ધોરાજી નગરપાલિકા દ્વારા આ વર્ષથી વેરામાં 850 રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જેને લઇને શહેરમાં વિરોધ ઉઠ્યો છે. ભાજપ અને ચેમ્બર ઓફ કોમર્સે વિરોધ કરવા સાથે નગરપાલિકા દ્વારા વિકાસના કામો ન થતાં હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ આક્ષેપ કર્યો કે, શહેરમાં અનેક વિસ્તારોમાં સફાઈનું કામ થતું નથી. સાથે શહેરના ઘણા વિસ્તારોમાં લાઈટની વ્યવસ્થા અને રોડ પણ નથી. આમ છતાં કોંગ્રેસ શાસિત નગરપાલિકાએ દીવાબત્તી વેરો, સફાઈ વેરો અને અન્ય બીજા વેરામાં 850 રૂપિયાનો વધારો કર્યો છે
રાજકોટ જિલ્લાના ધોરાજીની કોંગ્રેસ નગરપાલિકા દ્વારા ટેક્સ માં વધારો કરતા શહેરમાં ટેક્સનો વિરોધ ઉઠ્યો છે, ધોરાજી નગર પાલિકામાં આ વર્ષ થી ટેક્સ માં 850 રૂપિયા જેટ્લો વેરાનો વધારો કરવામાં આવ્યો છે, કોરોનની મહામારી ચાલતી હોય અને શહેરી જનો પાસે કોઈ કામ ધંધા નહોય આવક માં ઘટાડો થયો હૉય તેવા સમયેજ નગરપાલિકા દ્વારા ટેક્સમાં વધારો કરતા શહેરી જનો અને ભાજપે આ આ ટેક્સનો વિરોધ નોંધાવ્યો છે. ધોરાજી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ ટેક્સનો વિરોધ કરેલ છે ધોરાજી નગરપાલિકા ઉપર આક્ષેપ પણ કરેલ છે કે નગરપાલિકા દવારા કોઈ જાતના વિકાસના કામો કરવામાં આવતા નથી શહેરમાં અનેક વિસ્તારોમાં સફાઈ નું કામ થતું નથી, શહેરના ઘણા વિસ્તારોમાં લાઈટ ની વ્યવસ્થા નથી રોડ નથી ત્યારે નગરપાલિકા દ્વારા દીવાબત્તી વેરો, સફાઈ વેરો અને અન્ય બીજા વેરા થઇ ને 850 રૂપિયાનો વધારો કરવાંમાં આવતા ભાજપ અને ચેમ્બર ઓફ કોમર્સે વિરોધ કરેલ છે, જયારે કોંગ્રેસ શાસિત ધોરાજી નગરપાલિકા ના ઉપપ્રમુખના કહેવા મુજબ ગુજરાત સરકારના નિયમો અને સરકારના સૂચન મુજબ જ વેરા વધારેલ છે અને નગરપાલિકા લોકોમાટે તમામ જાત ના કામો કરી રહી છે