દેશમાં લોકોને મંદિરો પ્રત્યે ઘણી આસ્થા છે. અહીં કરોડો મંદિર છે. કદાચ જ કોઈ એવુ ગામ હશે જ્યાં મંદિર ના હોય. ઘણા મંદિર તો એવા છે જે ખાસ કારણથી પ્રખ્યાત છે. ભક્ત ભગવાનને ખુશ કરવા માટે મંદિરોમાં પૂજા કરે છે અને પ્રસાદ જેવી ચીજ વસ્તુઓ અર્પણ કરે છે.
દેશમાં એક એવુ મંદિર છે, જ્યાં લોકો ચઢાવે છે બીડી
બિહારના કૈમુર જિલ્લાના ભગવાનપુર પ્રખંડના 1400 ફૂટ ઉંચે સ્થિત
અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ બાબાને ચઢાવે છે બીડી
1400 ફૂટ ઉંચી ટેકરી પર સ્થિત છે મંદિર
આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું. જ્યાં ભગવાન પર પ્રસાદ નહીં, પરંતુ બીડી ચઢાવવામાં આવે છે. આ વાત સાંભળવામાં ભલે અજીબ લાગે પરંતુ આ હકીકત છે. મીડિયા રિપોર્ટસ મુજબ આ મંદિરનું નામ છે મુસહરવા મંદિર. આ બિહારના કૈમુર જિલ્લાના ભગવાનપુર પ્રખંડના 1400 ફૂટ ઉંચા પહાડો પર સ્થિત છે. અહીં યુપી, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાંથી લોકો પોતાની ફરિયાદ લઇને આવે છે. ભક્તો પોતાની કુશળ મંગળ યાત્રા માટે મુસહરવા બાબાને બીડી ચઢાવે છે, પછી પોતાના માર્ગ તરફ આગળ વધે છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તાર નક્સલગ્રસ્ત વિસ્તાર માનવામાં આવે છે. જ્યાં અધોરા ટેકરી પર નક્સલીઓનું રાજ હતુ અને ત્યારથી આ મંદિરમાં બીડી ચઢાવવાનું પ્રચલન છે.
મુસહરવા બાબાને બીડી ચઢાવવી જરૂરી
અહીં માન્યતા છે કે ટેકરી વિસ્તાર ચઢતા પહેલા અને ચઢ્યા બાદ મુસહરવા બાબાને બીડી ચઢાવવી જરૂરી છે. જેનાથી તેના માર્ગમાં આવતી દરેક પ્રકારની અડચણો દૂર થાય છે અને લોકો સુરક્ષિત યાત્રા કરે છે. જેની પાસે બીડી ચઢાવવા માટે હોતી નથી તેઓ મુસહરવા બાબાની દાન પેટીમાં બીડી ચઢાવવા માટે પૈસા નાખે છે અને આગળ વધે છે.
જે માન્યતાને સ્વીકારતા નથી તેની સાથે થાય છે અનિષ્ઠ
મંદિરના પૂજારી ગોપાલ બાબા જણાવે છે કે મુસહરવા બાબાના મંદિરમાં 22 વર્ષોથી લોકો પૂજા-અર્ચના કરી રહ્યાં છે. કોઈ પણ રાહદારી અને અધોરા જતો પ્રવાસી આ રસ્તા પરથી પસાર થઇને જાય છે. અહીં બીડીનો ભોગ લગાવવો ફરજીયાત છે. ઘણા પ્રવાસીઓ એવા હોય છે, જે બાબાની માન્યતાને અવહેલના કરે છે તેની સાથે અનિષ્ઠ થાય છે.