આંધ્રપ્રદેશ સરકારે આયુર્વેદિક દવા કૃષ્ણપટનમમાં કોરોનાની અસરની તપાસ કરવા માટે ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચને ભલામણ કરી છે.
કોરોના વાયરસની દવા માટે લાઇન
ઉપરાષ્ટ્રપતિએ આપ્યા તપાસના આદેશ
ગામના સરપંચ આપી રહ્યાં છે આ દવા
આ દવા આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં વેચવામાં આવી રહી છે અને લોકો આ દવાને કોરોના દૂર કરવા માટે ઉપયોગમાં લઇ રહ્યાં છે. સોશ્યલ મિડીયા પર ઘણા વીડિયો સામે આવ્યા છે અને હજારોની સંખ્યામાં લોકો આ દવા લેવા માટે આવી રહ્યાં છે. જેના કારણે સરકારે આ દવાની તપાસ કરવા માટે જણાવ્યું છે.
એક તરફ આ દવાની તપાસ ચાલી રહી છે અને બીજી તરફ એક્સપર્ટની એક ટીમને નેલ્લોર મોકલવામાં આવી છે જે આ દવા પર સ્ટડી કરશે.
ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુએ આયુષમંત્રી કિરેન રિજીજુ અને બલરામ ભાર્ગવને આ સ્ટડી કરવા માટે કહ્યું છે. નાયડૂએ આંધ્રપ્રદેશના નેલ્લોર જીલ્લાના રહેવાસી છે. તેમણે કહ્યું કે આ સંબંધમાં જલ્દી જ રિપોર્ટ આપવામાં આવેય હેલ્થ મિનીસ્ટર એકેકે શ્રીનિવાસે કહ્યું કે અમે આ દવાની ક્ષમતા જાણવા માટે તપાસ કરવાનો નિર્ણય કર્યો છે.
ડૉક્ટર નૌકરશાહ બનેલા પીવી રમેશે આ દવાને કોરોના સંકટને વધારવા માટેની દવા કરી છે. મુખ્ય સચિવ તરીકે પણ આ કામ કરી ચૂક્યા છે અને ગયા વર્ષે રાજ્યમાં કોરોના મેનેજમેન્ટનું કામ જોવા માટે પીવી રેમેશે કહ્યું કે, સરકાર આ રીતે અંધવિશ્વાસમાં ભરોસો ન કરી સકે. આ દવાના વેચાણને જલ્દી રોકવુ જોઇએ અને જે પણ આ દવાને પ્રમોટ કરી રહ્યાં છે તેને ફાર્મસી એક્ટ 1945 અને ડ્રગ એન્ડ મેઝીક રેમેડીઝ એક્ટ 1954 હેઠળ સજા આપવી જોઇએ.
કોણ વેચી રહ્યું છે આ દવા
તમને જણાવી દઇએ કે નેલ્લોર જિલ્લાના ગામમાં આ દવા લેવા માટે હજારોની ભીડ એકઠી થાય છે અને આ દવા લેવા માટે ભીડ પ્રોટોકોલનું પણ ઉલ્લંઘન કરે છે. આ દવા ગામના સરપંચ આપી રહ્યાં છે અને 21 એપ્રિલથી આ દવા વેચવાનું કામ થઇ રહ્યું છે.