પાવાગઢમાં PM મોદીના હસ્તે મંદિર પર ધજારોહણ કરાયું, મહત્વનું છે કે, પાવાગઢમાં 500 વર્ષથી ખંડિત મંદિર પર જીર્ણોદ્ધાર બાદ પહેલીવાર ધજા લહેરાઈ
પાવાગઢમાં 500 વર્ષ બાદ પહેલીવાર ધજા લહેરાઈ
પાવાગઢમાં PM મોદીના હસ્તે મંદિર પર ધજારોહણ કરાયું
ધજારોહણ કર્યા બાદ PMમોદી આપ્યું પ્રાસંગિક ઉદ્દબોધન
500 વર્ષથી ખંડિત મંદિર પર જીર્ણોદ્ધાર બાદ પહેલીવાર ધજા લહેરાઈ
PM મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. શનિવારના દિવસની શરુઆત તેમણે પોતાની માતા હીરાબાના આશીર્વાદ લઈને કરી હતી. જે બાદ તેમણે પાવાગઢ સ્થિત જગત જનની મહાકાળીના મંદિરમાં પૂજા અર્ચના કરીને સદીઓ બાદ ફરી મંદિરના શીખર પર ધજા ફરકાવી હતી. આ સમયે PM મોદીએ કહ્યું કે આ ધજા આપણું સાંસ્કૃતિક ગૌરવ છે જે ફરી એકવાર મુક્ત આકાશમાં લહેરાઈ રહ્યું છે.જે બાદા તેમણે કાળભૈરવ મંદિરમાં પણ પૂજા અર્ચના કરી હતી. અહીં તેમણે વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરતા પોતાના સંબોધનમાં કહ્યું કે ગુપ્ત નવરાત્રી પહેલા પાવાગઢ શક્તિપીઠ દિવ્યરૂપે આપણી સામે તૈયાર છે આનાથી વધુ ઉત્તમ શું હોઈ શકે? તેમણે આગળ કહ્યું કે સદીઓ બદલાય છે, યુગ બદલાય છે પણ આસ્થાનું શિખર શાશ્વત રહે છે. હું દેશની માતા અને બહેનોના કલ્યાણ માટે સમર્પિત રહું અને દેશની સેવા કરતો રહું તેવું મે માતાજી પાસે માગ્યું છે.