શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા.
PM મોદીએ કહ્યું કે શપથ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આશા અને કરુણાનો સંદેશ આપ્યો
PM મોદીએ કહ્યું કે આખા દેશે ગર્વથી દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ તરીકે શપથ લેતા જોયા
તેમનું પદ સંભાળવું એ ભારત માટે ઐતિહાસિક ક્ષણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્રૌપદી મુર્મૂને ભારતના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે દેશનું સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળવું એ ભારત માટે ખાસ કરીને ગરીબ, દલિત અને નબળા વર્ગો માટે ઐતિહાસિક ક્ષણ છે.
The entire nation watched with pride as Smt. Droupadi Murmu Ji took oath as the President of India. Her assuming the Presidency is a watershed moment for India especially for the poor, marginalised and downtrodden. I wish her the very best for a fruitful Presidential tenure. pic.twitter.com/xcqBqRt2nc
PM મોદીએ શ્રેણીબદ્ધ ટ્વિટ કરીને રાષ્ટ્રપતિને શુભેચ્છા પાઠવી
PM મોદીએ શ્રેણીબદ્ધ ટ્વીટમાં કહ્યું કે શપથ લીધા પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભારતની સિદ્ધિઓ પર ભાર મૂક્યો અને આગળના માર્ગ પર ભવિષ્યવાદી દૃષ્ટિકોણ રજૂ કર્યો.PM મોદીએ વધુમાં કહ્યું કે આખા દેશે ગર્વથી દ્રૌપદી મુર્મૂને આજે ભારતના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેતા જોયા છે. તેમનું પદ સંભાળવું એ ભારત માટે ખાસ કરીને ગરીબ, દલિત અને નબળા વર્ગો માટે એક ઐતિહાસિક ક્ષણ છે. હું તેમને ફળદાયી રાષ્ટ્રપતિ પદ માટે શુભેચ્છા પાઠવું છું.
In her address after taking oath, President Droupadi Murmu Ji gave a message of hope and compassion. She emphasised on India's accomplishments and presented a futuristic vision of the path ahead at a time when India is marking Azadi Ka Amrit Mahotsav. pic.twitter.com/I2DEO5wHbO
વડાપ્રધાને કહ્યું કે શપથ લીધા બાદ તેમના સંબોધનમાં દ્રૌપદી મુર્મુએ આશા અને કરુણાનો સંદેશ આપ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે તેમણે ભારતની સિદ્ધિઓ પર ભાર મૂક્યો અને એવા સમયે આગળના માર્ગનો ભાવિ દૃષ્ટિકોણ રજૂ કર્યો જ્યારે ભારત 'સ્વતંત્રતાના અમૃત મહોત્સવ'ની ઉજવણી કરી રહ્યું છે.
મુખ્ય ન્યાયાધીશે પદના શપથ લેવડાવ્યા
દ્રૌપદી મુર્મૂએ સોમવારે સંસદના સેન્ટ્રલ હોલમાં દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે પદ અને ગુપ્તતાના શપથ લીધા. ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમને તેમને પદના શપથ લેવડાવ્યા હતા. મુર્મુએ શપથ ગ્રહણ સમારોહ પહેલા સોમવારે સવારે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શપથ ગ્રહણ સમારોહ માટે રવાના થતા પહેલા દ્રૌપદી મુર્મૂ રાષ્ટ્રપતિ ભવન પહોંચી જ્યાં વિદાય લેતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમનું સ્વાગત કર્યું.
भारत के 15वें राष्ट्रपति के रूप में शपथ लेने पर श्रीमती द्रौपदी मुर्मू जी को बहुत बहुत बधाई।
मुझे विश्वास है कि आपका कार्यकाल देश के गौरव को नई ऊंचाइयों पर ले जायेगा।
आज का यह ऐतिहासिक दिन लोकतांत्रिक मूल्यों पर चल हर वर्ग के सशक्तिकरण और अंत्योदय का एक अप्रतिम उदाहरण है। pic.twitter.com/UafbYSSUod
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને શુભકામનાઓ પાઠવી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર પર કહ્યું, શ્રીમતી દ્રૌપદી મુર્મુ જીને ભારતના 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. મને ખાતરી છે કે તમારો કાર્યકાળ દેશના ગૌરવને નવી ઊંચાઈઓ પર લઈ જશે. તેમણે કહ્યું, આજનો ઐતિહાસિક દિવસ વર્ગ સશક્તિકરણ અને લોકતાંત્રિક મૂલ્યો પર ચાલતા અંત્યોદયનું અદ્ભુત ઉદાહરણ છે.