પાકિસ્તાનમાં હિંદુઓ પર થતા અત્યાચારો માટે દરેક લોકો જાણે છે. અહીંયા હિંદુ અલ્પસંખ્ય છે જેના કારણે એમની પર અત્યાચાર અને જબરદસ્તી ધર્મ પરિવર્તનની માહિતી સામાન્ય રીતે આવતી રહે છે. પરંતુ તમને જાણીને હેરાની થશે કે પાકિસ્તાનમાં એક શહેર એવું પણ છે જ્યાં હિંદુ મુસ્લિમ એક્તાની મિસાલો આપવામાં આવે છે. આ શહેરનું નામ મીઠી છે. જે મીઠી થારપારકર જિલ્લામાં આવેલું છે. આ શહેર પાકિસ્તાનના લાહોરથી આશરે 875 કિલોમીટર દૂર અને ભારતના ગુજરાતના અમદાવાદથી 340 કિલોમીટર દૂર છે.
મીઠીની કુલ આબાદી આશરે 87 હજાર છે જેમાંથી આશરે 80 ટકા હિંદુ લોકો છે. જ્યારે સમગ્ર પાકિસ્તાનમાં આશરે 95% મુસલમાન છે. આ શહેરમાં જ્યારે પણ કોઇ ધાર્મિક તહેવાર અથવા કોઇ સાંસ્કૃતિક આયોજન હોય તો હિંદુ મુસલમાન બંને ધર્મના લોકો એમા હળીમળીને ભાગ લે છે. મીઠીમાં હિંદુ અને મુસ્લિમ બંને દિવાળી અને ઇદ મનાવે છે. અહીંયા હિંદુ લોકો મોહરમના જુલુસોમાં ભાગ લે છે અને મુસલમાનો સાથે રોઝા પણ રાખે છે. તો બીજી બાજુ હિંદુ ધર્મનું સમ્માન કરતા અહીંયાના મુસલમાન ગાયને કાપતા નથી અને બીફ પણ ખાતા નથી.
આ શહેરમાં ધાર્મિક અસહિષ્ણુતા ક્યારેય પમ જોવા મળતી નથી. આ શહેરનો ક્રાઇમ રેટ પાકિસ્તાનના બીજા શહેરોની સરખામણીએ ખૂબ જ ઓછો છે. આ મંદિરમાં બીજા ઘણા મંદિર છે જેમાં સૌથી પ્રસિદ્ધ શ્રીકૃષ્ણ મંદિર છે. કહેવાય છે કે જ્યારે અહીંના હિંદુઓ મંદિરમાં પૂજા કરે છે ત્યારે અજાન માટે મોટેથી અવાજ સ્પીકરમાં વગાડાતો નથી અને અજાન વખતે મંદિરોમાં ઘંટ વાગતા નથી. આ શહેરે પાકિસ્તાનમાં હિંદુ મુસ્લિમ એક એકતાનો પાયો રાખ્યો છે.