સરકારે દરેક બેંકને નિર્દેશ આપ્યા છે કે તે પોતાના ગ્રાહકોના ખાતા સાથે તેમના આધાર કાર્ડને 31 માર્ચ 2021 સુધીમાં લિંક કરાવી લે. જેનાથી સામાન્ય લોકોને સરકારી યોજનાનો સીધો લાભ મળી શકશે. પણ જો તમે આધાર નંબરને બેંક ખાતા સાથે ડી-લિંક કરાવવા ઈચ્છો છો તો તમારે આ માટે એક કામ કરવાનું રહેશે.
સરકારે બેંકને આપ્યા છે ખાસ આદેશ
આધાર નંબરને બેંક ખાતા સાથે લિંક કરાવવા જાણો આ પ્રોસેસ
આધારને ડિ લિંક કરાવવા માટે તમે બેંક જઈને તમારે તમારા આધારને એકાઉન્ટ સાથે ડી- લિંક કરાવવું છે તો તમારે એક ફોર્મ ભરવાનું રહે છે. આ કામ કર્યા બાદ 48 કલાકમાં તમારું આધાર કાર્ડ બેંક સાથે લિંક થઈ જશે.
UIDAIએ આધાર કાર્ડ ધારકને ઈ આધાર સાથે યૂનિક નંબર છુપાવવાની સુવિધા પણ આપી છે. આ ફીચરના ઉપયોગ કર્યા બાદ આધારના છેલ્લા 4 નંબર દેખાશે અને પહેલાં 8 નંબર છુપાઈ જશે. સરકારે ઈ આધારને માન્ય રાખ્યું છે. હવે તમારે આધાર લેટર અને સોફ્ટ કોપી સાથે રાખવાની જરૂર નથી.