ભારતીય નૌકાદળના ઇતિહાસમાં પહેલીવાર, બે મહિલા અધિકારીઓને યુદ્ધ જહાજ પર તૈનાત કરવામાં આવશે. આ બંનેની પસંદગી હેલિકોપ્ટર સ્ટ્રીમમાં ઓબ્ઝર્વર (એરબોર્ન ટેક્ટિશિયન) તરીકે કરવામાં આવી છે. જ્યારે કે કઇંક આવી જ પહેલ દેશમાં વાયુસેના ક્ષેત્રે પણ કરવામાં આવી છે.
ભારતમાં સેના ક્ષેત્રે મોટા પરિવર્તનનાં અણસાર
નૌસેના અને વાયુસેનામાં મહિલાઓને સોંપાઈ મહત્વપૂર્ણ જવાબદારી
રાફેલ વિમાન માટે મહિલા પાયલોટની કરાઇ પસંદગી
નૌસેનામાં સામેલ થનારી આ બંને મહિલાઓના નામ છે સબ લેફ્ટનન્ટ કુમુદીની ત્યાગી અને સબ લેફ્ટનન્ટ રીતી સિંઘ. આ જવાબદારી હેઠળ વિમાનને યુદ્ધ જહાજ પર ઉતારવામાં આવે છે. અગાઉ મહિલા અધિકારીઓ ફિક્સ વિંગ એરક્રાફ્ટના રોલ સુધી મર્યાદિત હતા, પણ હવે સ્થિતિ બદલાઈ છે. બંને મહિલા 17 નેવી અધિકારીઓના જૂથનો ભાગ છે.
નેવીમાં મહિલાઓની મહત્વપૂર્ણ પદો પર નિયુક્તિ
સંરક્ષણ નિવેદનમાં જણાવાયું છે કે બંને મહિલાઓ નૌકાદળના 17 અધિકારીઓના જૂથનો ભાગ છે, જેમાં ચાર મહિલા અધિકારીઓ અને ભારતીય કોસ્ટ ગાર્ડના ત્રણ અધિકારીઓનો સમાવેશ થાય છે, જેમને આજે INS ગરુડમાં યોજાયેલા કાર્યક્રમમાં 'ઓબ્ઝર્વર' તરીકે નિયુક્તિ અપાઈ હતી. આ પ્રકારની આ પહેલી નિયુક્તિ છે જે પહેલા થતી નહોતી.
શું છે વાયુસેનામાં કાર્યવાહી?
ભારતીય આકશને રક્ષવા માટે ફ્રાન્સથી હાલ 5 રાફેલ વિમાનો ભારત આવી પહોંચ્યા છે, આ પ્રકારના વિમાનોને વાયુસેનાની ગોલ્ડન એરોઝ સ્કવોડ્રન માં સામેલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં આ સ્ક્વોડ્રન માં માત્ર પુરુષ પાયલોટસ જ સામેલ હતા, જ્યારે કે હવે સ્ત્રી પાયલોટને પણ અનુમતિ આપવામાં આવી છે.
10 સપ્ટેમ્બરના રોજ, જ્યારે રાફેલ જેટ વિમાન વિધિવત રીતે એરફોર્સ નો ભાગ બન્યા, અત્યાર સુધીમાં તેમાં માત્ર એકમાત્ર પુરુષ પાઇલટ હતો. જ્યારે કે હવે તેમાં એક મહિલા ફાઇટર પાઇલટ પણ સામેલ કરવામાં આવી છે. એરફોર્સ પાસે હાલમાં 10 સક્રિય મહિલા ફાઇટર પાઇલટ્સ છે. આમાંથી એકની કન્વર્ઝન તાલીમ ચાલી રહી છે અને ટૂંક સમયમાં તે 17 નંબરની સ્ક્વોડ્રન નો ભાગ બનશે. મિગ 21 તેમણે ઉડાડયા છે અને કારગિલ યુદ્ધમાં પહેલીવાર, એરફોર્સ એ મહિલા પાઇલટ્સ ને કામગીરી સોંપી.
વર્ષ 2016 માં સરકારે ફાઇટર વિમાનોને સક્રિય રીતે ઉડાડવા માટે મહિલાઓને પણ ઉડાનની મંજૂરી આપી હતી. ત્યારબાદ, 10 મહિલા પાઇલટ્સને વાયુસેનમાં કાર્યરત કરવામાં આવ્યા છે.
શું છે કન્વર્ઝન તાલીમ અને શા માટે તે જરૂરી છે?
સ્ત્રી ફાઇટર પાઇલટ્સની તાલીમ પુરુષોની સમાન જ હોય છે. પરંતુ વિમાનચાલકો એક પ્રકારનું લડાકુ વિમાન ઉડાડવા પરિપર્ડ થઈ જય તે પછી તેમણે બીજા પ્રકારના વિમાન માટે પસંદ કરવામાં આવે ત્યારે તેમને કન્વર્ઝન તાલીમ લેવી પડે છે. પાઇલોટ્સને એક વિમાનથી બીજા વિમાનમાં જવા માટે આ તાલીમની જરૂર હોય છે.