ન્યૂઝીલેન્ડ સામેની T20 મેચ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત એક-બે દિવસમાં થઈ શકે છે એવામાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને એ T20 ટીમની બહાર ગણવામાં આવી રહ્યા છે.
રોહિત, વિરાટ અને કેએલ રાહુલ જેવા ખેલાડીઓનું ભવિષ્ય ખતરામાં
રોહિતની વધતી ઉંમર બની રહે છે વિલન
ધીમી બેટિંગ કરે છે કિંગ કોહલી!
હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા શાનદાર પ્રદર્શન કરીને શ્રીલંકા સામેની T20 શ્રેણી 2-1થી જીતી લીધી હતી અને ટીમ ઈન્ડિયાએ શનિવારે રાજકોટમાં રમાયેલી સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચમાં 91 રને જીત મેળવી હતી. T20 સીરિઝની જીત ટીમ ઈન્ડિયા માટે ઘણી અલગ અને મહત્વની હતી કારણ કે વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, ભુવનેશ્વર કુમાર જેવા વરિષ્ઠ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો.
જો કે હવે બંને ટીમો વચ્ચે 10 જાન્યુઆરી મંગળવારના રોજ પ્રથમ વનડે મેચ રમાશે. આ સીરિઝમાં સિનિયર ખેલાડીઓની વાપસી થઈ શકે છે. વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ જેવા બેટ્સમેન ફરી એકવાર એક્શનમાં જોવા મળશે. આ ખેલાડીઓની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હાર્દિકની કપ્તાનીમાં ભારતના યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
રોહિત, વિરાટ અને કેએલ રાહુલ જેવા ખેલાડીઓનું ભવિષ્ય ખતરામાં
જણાવી દઈએ કે આ પછી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 27 જાન્યુઆરીથી T20 સીરીઝ શરૂ થવા જઈ રહી છે અને ન્યૂઝીલેન્ડ સામેની T20 મેચ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત એક-બે દિવસમાં થઈ શકે છે. પણ હાલ મળતી એક રિપોર્ટ અનુસાર રોહિત શર્મા અને વિરાટ કોહલીને T20 ટીમની બહાર ગણવામાં આવે છે. જણાવી દઈએ કે આગામી 24 કલાક ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે હાલમાં જ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે 'ભારતીય ટીમ T20 વર્લ્ડ કપના પુનર્ગઠનમાંથી પસાર થઈ રહી છે. ટીમમાં ઘણા સારા ક્રિકેટરો છે પણ તેઓએ ધીરજથી કામ લેવાની જરૂર છે.' આ સાથે જ કોચ દ્રવિડના ઈશારાથી એ પણ સ્પષ્ટ થયું હતું કે 'રોહિત, વિરાટ અને કેએલ રાહુલ જેવા વરિષ્ઠ ખેલાડીઓ ભવિષ્યમાં ભારતની T20 ટીમનો ભાગ નહીં રહે અને હાર્દિક પંડ્યાને T20 ટીમનો નિયમિત કેપ્ટન બનાવવામાં આવી શકે છે. '
રોહિતની વધતી ઉંમર બની રહે છે વિલન
હિટ મેન કહેવાતા રોહિત શર્મા હાલ ભારતની T20 ટીમમાં ફિટ નથી બેસી રહ્યા અને એ માટે તેની વધતી ઉંમર જવાબદાર છે. જણાવી દઈએ કે રોહિત શર્મા 35 વર્ષના છે અને છેલ્લા થોડા સમયથી રોહિત ટી20 ક્રિકેટમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ જઈ રહ્યા છે. જણાવી દઈએ કે ટી20 મેચોની છેલ્લી 10 ઇનિંગ્સની વાત કરીએ તો હિટ મેન દ્વારા એક જ અડધી સદી ફટકારવામાં આવી છે અને ખાસ રન પણ બનાવી શક્યા નથી એટલા માટે હવે લાગી રહ્યું છે કે રોહિતનું પ્રદર્શન નબળું પડી રહ્યું છે અને તે પહેલાની જેમ બોલરો પર વર્ચસ્વ જમાવી શકતો નથી. આ કારણોને જોતાં ટીમ મેનેજમેન્ટ રોહિતને ટી-20 ક્રિકેટમાંથી દૂર કરવાનું વિચારી રહ્યું છે.
ધીમી બેટિંગ કરે છે કિંગ કોહલી!
આ સાથે જ છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યું છે કે T20માં ઝડપી બેટિંગ કરવાને બદલે વિરાટ કોહલી ખૂબ જ ધીમી શરૂઆત કરે છે અને શરૂઆતમાં કિંગ કોહલીની રન બનાવવાની એવરેજ એવરેજ પ્રતિ બોલ રનની છે. જો કે તેઓ ધીરે ધીરે સ્ટ્રાઈક રેટ સુધારવાનો પ્રયાસ કરે છે પણ હાલમાં ભારતીય ટીમના બીજા ક્રિકેટર ટી20માં વિરાટ કરતા વધુ ઝડપી બેટિંગ કરીને રન બનાવી શકે છે એટલા માટે ટી20 ટીમના ભાવિ પ્લાનમાં વિરાટ કોહલીનો સમાવેશ કરવામાં નહીં આવે. વિરાટ કોહલીની જગ્યા પર હાલમાં ટીમ ઈન્ડિયામાં ઘણા યુવા બેટ્સમેનને અજમાવી શકાય છે.