આમ તો આપણે આપણા વડીલો જોડે વાર્તાઓમાં ઘણા ચમત્કારો વિશે સાંભળ્યું હોય છે. અમુક વાર્તાઓમાં સામતકારો વિશે આપણને વિશ્વાસ પણ નથી બેસતો આજે અમે તમને જણાવીશું એવા જ એક ચમત્કારી મંદિર વિશે જ્યાંના હનુમાન એક દિવસમાં ત્રણ સ્વરૂપ બદલે છે.
મંડાલાના સૂરજકુંડમાં આવેલ હનુમાનનું મંદિર જ્યાં પવસુત સાક્ષાત પરચા પુરે છે બજરંગીની આ મૂર્તિ 24 કલાકમાં ત્રણ સ્વરૂપ બદલે છે. પુજારીના જણાવ્યા પ્રમાણે હનુમાનજીની પ્રતિમા સવારમાં ચાર વાગ્યાથી દસ વાગ્યા સુધી બાળ સ્વરૂપમાં રહે છે. ત્યારબાદ દસ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી યુવાન સ્વરૂપમાં રહે છે અને સાંજે છ વાગ્યા પછી હનુમાનજી વૃદ્ધ સ્વરૂપમાં રહે છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર સુરજકૂંડના આ મંદિરનો ઇતિહાસ ખુબ જ જૂનો છે. આ મંદિરમાં બિરાજમાન હનુમાનજીની મૂર્તિ ખૂબ જ દુર્લભ છે જે બીજે ક્યાંય જોવા મળતી નથી. હનુમાન જયંતિ પર અહીંયા હજારો નહિ પણ લાખોની સંખ્યામાં ભક્તોની લાઈન લાગે છે. જયંતિના શુભ અવસર પર અહીંયા ભક્તો દ્વારા વિશેષ આરતીઓ કરવામાં આવે છે.