ક્રિકેટરથી કોમેન્ટેટર અને બાદમાં રાજનેતા બનેલા નવજોત સિંહ સિદ્ધુ પંજાબના અમૃતસરના રહેવાસી છે. સિદ્ધુ પરિવાર સાથે ત્યાં જ રહે છે. હાલમાં જ કપિલ શર્મા તેમને મળવા અમૃતસર ગયા હતા અને કપિલ સાથેની મુલાકાત બાદ સિદ્ધુએ તસવીરો શૅર કરી હતી.
કપિલ શર્મા પહોંચ્યો નવજોત સિંહના ઘરે
નવજોતનું ઘર મહેલ કરતા ઓછુ નહી
ઘરની તસવીરો જોઇને ચોંકી જશો
કપિલ શર્મા પોતાના મિત્રો સાથે નવજોતના ઘરે પહોંચ્યા હતા અને કપિલે સિદ્ધુના ઘરે નાસ્તો પણ કર્યો હતો.
મિડીયા રિપોર્ટ્સ અનુસાર કપિલે સિદ્ધુના ઘરે ડોઢ કલાક બેસીને ખુબ વાતો કરી હતી. તસવીરોમાં સિદ્ધુના આલિશાન ઘરનો નજારો સાફ દેખાઇ રહ્યો છે,
સિદ્ધુએ આ ઘર 2014માં બનાવવાનું શરૂ કર્યુ હતુ અને ત્રણ વર્ષે આ ઘર બની રહ્યું હતું. 2017માં સિદ્ધુ પરિવાર સાથે આ ઘરમાં શિફ્ટ થયા હતા.
સિદ્ધુનું ઘર કોઇ મહેલથી ઓછુ નથી, 2017ના એક રિપોર્ટ પ્રમાણે આ ઘરની કિંમત 25 કરોડ આંકવામાં આવે છે. ઘરની અંદર જીમ, સ્પા અને સ્વિમિંગ પૂલ પણ છે.