મહારાષ્ટ્રના નાસિકનો એક ઘોડો આજ કાલ ખૂબ ચર્ચામાં છે. કારણ કે એક હરાજીમાં આ ઘોડાની કિંમત 5 કરોડ રૂપિયા બોલાઈ હતી. છતાં માલિકે તેને વેચવાનો ઈનકાર કર્યો
હરાજીમાં ઘોડાની કિંમત 5 કરોડ લગાવામાં આવી હતી
ઘોડાની દેખભાળ માટે બે વ્યક્તિઓની નિમણૂંક કરાઈ છે.
ઘોડાની બોલી લાખો રૂપિયા થી શરૂ થઈ હતી.
હરાજીમાં ઘોડાની કિંમત 5 કરોડ લગાવામાં આવી હતી
મહારાષ્ટ્રના નાસિકનો ઘોડો આજ કાલ ખૂબ ચર્ચા જગાવી રહ્યો છે. ઘોડાની કિંમત 5 કરોડ રૂપિયા લગાવામાં આવી હતી. પરંતુ માલિકે તેને વેચવાનો ઈનકાર કર્યો હતો. મહત્વનું છે કે, સારંગખેડા યાત્રામાં રાજ્યભરથી ઘોડાઓ વેચાણ માટે આવે છે. આ યાત્રામાં નાસિક થી રાવણનો ઘોડો પણ વેચાણ માટે આવ્યો હતો.
ઘોડાની દેખભાળ માટે બે વ્યક્તિઓની નિમણૂંક કરાઈ છે.
રાવણ નામનો આ ઘોડો પૂરી રીતે કાળા કલરનો છે. અને તેના માથે સફેદ ડાઘ પણ છે. તેમની પાસે દેવમણિ કંઠ કુકડ નાગદા જેવા શુભ સંકેતો છે. આ ઘોડાની દેખભાળ માટે બે વ્યક્તિઓની નિમણૂંક કરાઈ છે. રાવણ નામના આ ઘોડાના માલિકનું નામ અસદ સૈયદ છે. અસદને એક હરાજીમાં આ ઘોડા માટે રૂપિયા 5 કરોડ મળી રહ્યાં હતાં.
ઘોડાની બોલી લાખો રૂપિયા થી શરૂ થઈ હતી.
67 ફૂટ લાંબો રાવણ નામનો આ ઘોડો બિલકુલ કાળા રંગનો છે અને તેના માથે સફેદ રંગનો ડાઘો છે. આ ઘોડાની બોલી લાખો રૂપિયા થી શરૂ થઈ હતી. જે 5 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયા હતાં. પરંતુ સૈયદએ આ ઘોડો વેચવાથી ઈનકાર કરી દીધો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, મુંબઈમાં રહેવા વાળા એક વ્યક્તિએ ઘોડો માટે 5 કરોડની બોલી લગાવી હતી
આ ઘોડાને દૂધ સહિત સૂકા મેવા ખવડાવાય છે.
અસદએ જણાવ્યું હતું કે, આ ઘોડાને અત્યારે નહીં વેચવા માંગતો નથી પરંતુ તેની કિંમત જાણવા માટે તેને હરાજીમાં લાવ્યો હતો. સૈયદે જણાવ્યું હતું કે, રાવણ નામનો આ ઘોડો પ્રતિદિન 10 લીટર દૂધ, ચણાંની દાળ, એક કિલો ઘી અને સૂકો મેવો ખાય છે. ઘોડાની ડાયેટ ફિક્સ છે.જેના પર સૈયદ દર મહિને લાખો રૂપિયા ખર્ચ કરે છે.