આપણાં કિચનમાં એવી મેજિકલ વસ્તુ રહેલી છે જેનો ઉપયોગ કરી લેશો તો તમારા ચહેરા પર ક્યારેય કરચલીઓ પડશે નહીં. ચાલો જાણી લો તેના ઉપાય.
આ 2 વસ્તુના ઉપાય કરશો તો સ્કિન રહેશે એકદમ હેલ્ધી
કરચલીઓથી બચવું હોય તો કિચનની આ વસ્તુનો ઉપયોગ કરો
આ વસ્તુ સ્કિન માટે વરદાન સમાન છે
આપણાં કિચનમાં રહેલી કેટલીક વસ્તુઓ એટલી અસરકારક હોય છે કે, આપણને ખબર જ નથી હોતી. જેમાંથી એક હળદર છે. હળદરમાંરહેલાં એન્ટીઓક્સીડેન્ટ અને કર્ક્યૂમિન બ્યૂટી ટ્રીટમેન્ટ માટે બેસ્ટ છે. આ જ કારણથી બ્યૂટી એક્સપર્ટ પણ સ્કિન માટે હળદરનો ઉપયોગ કરવાથી સલાહ આપે છે. હળદર અને મધ મિક્સ કરીને લગાવવાથી સ્કિન ટાઈટ રહે છે અને મોઈશ્ચરાઈઝ પણ થાય છે.
મધના ઉપાય
મધમાં લીંબુનો રસ અને દહીં મિક્સ કરીને લગાવવાથી ટેનિંગ દૂર થાય છે.
મધમાં હળદર અને ગુલાબજળ મિક્સ કરીને લગાવવાથી ફેરનેસ વધે છે.
મધમાં બેકિંગ સોડા મિક્સ કરીને હાથ-પગ પર લગાવવાથી ડેડ સ્કિન દૂર થાય છે.
મધમાં તજ પાઉડર મિક્સ કરીને લગાવવાથી પિંપલ્સ દૂર થાય છે.
મધ અને નારિયેળ તેલ મિક્સ કરીને લગાવવાથી ડાઘ દૂર થાય છે.
બટાકાની પેસ્ટમાં મધ મિક્સ કરીને લગાવવાથી ડ્રાયનેસ દૂર થાય છે.