સિચુએશન ગમે તેવી હોય દરેકને મીઠાની જરૂર હોય છે. પણ જો મીઠું થોડું પણ ઓછું હોય તો સ્વાદ બગડે છે અને જો થોડું વધારે હોય તો સ્વાસ્થ્ય બગડે છે.
દાળ-શાકમાં ઉપરથી મીઠુ લેવાની આદત હોય તો વાંચી લો
વધારે પડતુ મીઠુ શરીરને કરી શકે છે નુકસાન
જીવલેણ સાબિત થઈ શકે છે આ આદતો
યુરોપિયન હાર્ટ જર્નલમાં 11 જુલાઈના રોજ એક નવું રિસર્ચ પબ્લિશ થયું છે. જે મુજબ જે લોકો નિયમિત રીતે પોતાના ભોજનમાં ઉપરથી મીઠુ નાખે છે. તેમનામાં મૃત્યુનું જોખમ સામાન્ય લોકોની સરખામણીએ 28% વધી જાય છે. આ સંશોધન 5 લાખ લોકો પર કરવામાં આવ્યું છે.
અગાઉ ઈંગ્લેન્ડના જર્નલ 'ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન'નું એક રિસર્ચ સુચવે છે કે આપણે ભારતીયો વિશ્વમાં સૌથી વધુ મીઠું ખાઈએ છીએ.
મીઠાનું યોગ્ય સ્તર હોવું જરૂરી
મીઠામાં સોડિયમ અને પોટેશિયમ બંને હોય છે. સોડિયમ માનવ શરીરમાં પાણીનું યોગ્ય સ્તર બનાવવાથી લઈને ઓક્સિજન અને અન્ય પોષક તત્વોને તમામ અવયવો સુધી પહોંચાડવામાં મદદ કરે છે. આ કારણે આપણી નર્વ સિસ્ટમમાં ઉર્જા આવે છે.
એક દિવસમાં કેટલું મીઠુ ખાવું જોઈએ?
સામાન્ય ભાષામાં સમજીએ તો તમારે ફક્ત 5 ગ્રામ મીઠું ખાવું જોઈએ. જો તમારે વધુ સરળ રીતે સમજવું હોય, તો આ વાત યાદ રાખો કે તમારા દરેક ભોજનમાં માત્ર એક નાની ચમચી મીઠું હોવું જોઈએ. એ પણ યાદ રાખો કે એક દિવસમાં તમારે માત્ર 2.3 ગ્રામ સોડિયમ લેવું જોઈએ. જે તમને 5 ગ્રામ મીઠામાં મળે છે.
કેટલાક લોકોને એવી આદત હોય છે કે તેઓ ભોજનની ઉપર વધારાનું મીઠું ઉપરથી છાંટીને ખાય છે. તો ચાલો સમજીએ કે આવું કરવું યોગ્ય છે કે નહીં.
ખોરાકમાં ઉપરથી મીઠું ઉમેરીને ખાવું જોખમી છે.
જેના કારણે હ્રદય અને કિડની સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
સર્કુલેટરી સિસ્ટમ અને નર્વસ સિસ્ટમને પણ નુકસાન થઈ શકે છે.
ઉપરથી મીઠું નાખીને ખાવાની આદત થઈ જાય છે. કોઈ નશાની જેમ. થોડા સમય પછી તમે ઉપરથી મીઠું નાખ્યા વિના ખોરાક ખાઈ શકતા નથી.
દાળ-શાકમાં રંધાયેલુ મીઠુ ખતરનાક નથી?
જ્યારે મીઠું ખોરાક સાથે રંધાઈ જાય છે. ત્યારે તેની આયર્ન રચના બદલાય છે અને તમારું શરીર તેને ઝડપથી શોષી લે છે. કાચું મીઠું ઉપરથી છાંટીને ખાઓ છો તે તેની રચનામાં ફેરફાર કરતું નથી. તેથી શરીર તેને ખૂબ જ ધીરે ધીરે શોષી શકે છે. જેના કારણે કાચું મીઠું હાયપરટેન્શન અને હાઈ બ્લડપ્રેશરનું કારણ બને છે.