મહેસાણાના ગ્રીન એમ્બેસેડર જીતુભાઇ પટેલે લતા મંગેશકરની યાદમાં 1111 વૃક્ષનું કર્યું વાવેતર કરી, તેને લતા મંગેશકર ઉપવન નામ આપ્યું
સૂર સામ્રાજ્ઞી લતાજીને અનોખી શ્રદ્ધાંજલિ
1111 વૃક્ષનું વાવેતર,લતા મંગેશકર ઉપવન
ગ્રીન એમ્બેસેડર જીતુભાઇ પટેલે આપી અંજલિ
સૂરોની મલ્લિકા અને સૂર સામ્રાજ્ઞી તરીકે વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત લતા મંગેશકરને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી મહેસાણાના ગ્રીન એમ્બેસેડર જીતુભાઇ પટેલે લતા મંગેશકરની યાદમાં 1111 વૃક્ષનું કર્યું વાવેતર કરી, તેને લતા મંગેશકર ઉપવન નામ આપ્યું હતું.
લતા દીદીએ એક સમયે ખૂબ ગળાકાપ સંઘર્ષ કર્યો હતો
કામ પ્રત્યે એટલો પ્રેમ હતો કે તેઓ પોતાનું ખાવા-પીવાનું ધ્યાન રાખતા ન હતા. તેઓ ફક્ત ચા અથવા પાણી પીને આખો દિવસ પસાર કરતા હતા. તેમના સંઘર્ષના દિવસનો ઉલ્લેખ યતીન્દ્ર મિશ્રની બુક લતા સુર ગાથામાં મળે છે. લતા સુર ગાથાને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી નવાજવામાં આવી છે. લતા મંગેશકરે બુકમાં જણાવ્યું હતુ, હું અવાર-નવાર રેકોર્ડિગ કરતી-કરતી થાકી જતી હતી અને મને ખૂબ ભૂખ પણ લાગતી હતી. એવા સમયે રેકોર્ડિગ સ્ટુડિયોમાં કેન્ટીન હતી. પરંતુ ખાવા માટે સારું ભોજન મળે છે એવુ મને યાદ નથી. ફક્ત ચા અને બિસ્કીટ મળતા હતા અને એક કપ ચા અથવા બે-ચાર બિસ્કિટ એમાં જ આખો દિવસ નિકળી જતો હતો. ઘણી વખત તો પાણી પીતા-પીતા આખો દિવસ જતો રહેતો હતો અને મને એ પણ ધ્યાન રહેતુ નહોતુ કે કેન્ટીન જઇને મારે ચા પણ પી લેવી જોઈએ. હંમેશા આ વાત મગજમાં ફરતી હતી કે કેવીરીતે મારે પોતાના પરિવારને જોવાનુ છે.
લતા દીદી ગીત પ્રત્યે ખૂબ જ ચિંતિત રહેતા હતા
પછી તે રેકોર્ડિગનો સમય હોય કે પછી ઘરનો ખાલી સમય. કેવીરીતે હું પોતાના પરિવાર માટે વધુમાં વધુ આવક કમાવીને તેની જરૂરીયાત પૂર્ણ કરી શકુ છુ. એવામાં બધો સમય નિકળી જતો હતો. મને રેકોર્ડિગથી અથવા તેની તકલીફથી એટલો ફરક પડતો ન હતો. જેટલો કે આવનારા સમયમાં મારા કેટલા ગીત રેકોર્ડ થવાના છે. ફિલ્મ પૂર્ણ થતાની સાથે મારે નવા કોન્ટ્રાક્ટની બીજી નવી ફિલ્મના ગીત ક્યારે રેકોર્ડ કરવાના છે.