કેન્દ્ર સરકાર ભારત પેટ્રોલિયમ કોર્પ લિમિટેડ BPCL માં તેની સંપૂર્ણ ભાગીદારી વેચી રહી છે. કોરોના સંકટને કારણે સરકારે તેની બોલી લગાવવાની તારીખ ચાર વાર વધારવી પડી, ચોથી વખતમાં સરકારને આ કંપનીની બોલી માટે ત્રણ બિડ મળી છે. હાલમાં સરકાર કંપનીમાં 52.98 ટકા હિસ્સો ધરાવે છે.
દેશની બીજી સૌથી મોટી પેટ્રોલિયમ કંપની છે BPCL
કંપનીમાં સરકાર 52.98 ટકા ભાગીદારી ધરાવે છે
દેશભરમાં 17 હજારથી વધુ પેટ્રોલ પંપ ધરાવે છે BPCL
BPCL દેશની બીજી સૌથી મોટી પેટ્રોલિયમ કંપની છે, વેદાંતા કંપની તેને ખરીદવાની રેસમાં સૌથી આગળ દેખાઈ રહી છે, મહત્વનું છે કે વેદાંતા ખાણકામ ક્ષેત્રમાં એક વિશાળ નામ ધરાવતી કંપની છે. પરંતુ હવે યુએસ સ્થિત બે ખાનગી ઇક્વિટી રોકાણકાર કંપની એપોલો ગ્લોબલ મેનેજમેન્ટ અને આઇ સ્ક્વેર કેપિટલના યુનિટ થિંક ગેસે પણ તેમની બિડ રજૂ કરી છે.
વધુ બે કંપનીના આવવાથી સ્પર્ધા રસપ્રદ બની
BPCL ખરીદવા વેદાંતા સિવાયની બીજી બે કંપનીઓની એન્ટ્રી સાથે સ્પર્ધા રસપ્રદ બની છે. ઊંચા ભાવે BPCL ના વેલ્યુએશનની અપેક્ષા પણ સરકારે હવે વધારી દીધી છે. વેદાંતાએ 59 હજાર કરોડ રૂપિયાની બોલી લગાવી છે.
ખરેખર, BPCL માં હિસ્સો વેચીને સરકાર 45 હજાર કરોડ રૂપિયા મેળવી શકે છે. સરકાર તેનો 52.98 ટકા હિસ્સો વેચી રહી છે. કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન જુદી જુદી કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચીને 2.10 લાખ કરોડ એકત્ર કરવા માટેનું લક્ષ્ય રાખ્યું હતું. એર ઇન્ડિયા અને LIC નો પણ હિસ્સો વેચાણ કંપનીઓની યાદીમાં સમાવેશ થાય છે. પરંતુ સરકારને આશા છે કે પહેલા તે BPCL માં પોતાનો હિસ્સો વેચીને સફળતા મેળવી શકે છે. કારણ કે BPCL દેશની બીજી સૌથી મોટી ઓઇલ કંપની છે અને તેની બેલેન્સશીટ ઘણી મજબૂત છે. કંપની હંમેશાં સરકારને નફો આપે છે.
માર્ચ 2021 સુધી સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટના લક્ષ્યની નજીક પહોંચવાના પ્રયાસમાં
ખરેખર, સરકાર માર્ચ -2021 સુધીમાં ડિસઇન્વેસ્ટમેન્ટ માટે નક્કી કરેલા લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. કારણ કે હવે 2.10 લાખ કરોડ રૂપિયાનું મોટું લક્ષ્ય હાંસલ કરવું શક્ય નથી. તે જ સમયે, સરકારને નુકસાન કરતી કંપની એર ઇન્ડિયાના વેચાણથી ઘણી અપેક્ષાઓ નથી.
તેથી કોરોના સંકટ દરમિયાન, BPCL ની બિડિંગ તારીખ ચાર વખત લંબાવાઈ. અગાઉ, તેની તારીખ 2 મે ના રોજ નક્કી કરવામાં આવી હતી, જે પછી 13 જૂન, પછી 31 જુલાઈ છેલ્લે 30 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરાઇ અને ત્યારબાદ આ ચોથી વખત અંતિમ તારીખ 16 નવેમ્બર 2020 સુધી લંબાવાઈ. ચાલુ નાણાકીય વર્ષના જૂન ક્વાર્ટરમાં BPCL નો નફો લગભગ બમણો રૂ. 2,076 કરોડ થયો છે. જ્યારે બીજા ક્વાર્ટરમાં નફો વધીને રૂ. 2,247 કરોડ થયો છે. આમ BPCL ની બેલેન્સશીટ મજબૂત છે.
BPCL સરકારને નફો રળી આપતી કંપની છે
આ અગાઉ નાણાકીય વર્ષ 2018-19માં BPCL નો નફો 7,132 કરોડ રૂપિયા હતો. એક અંદાજ મુજબ, BPCL વાર્ષિક આશરે 8,000 કરોડનો નફો મેળવે છે. BPCL ના ખરીદનારને 64 હજાર 200 કરોડથી 97 હજાર 600 કરોડ રૂપિયાની જરૂર પડશે.
BPCL પાસે દેશભરમાં લગભગ 17,138 પેટ્રોલ પમ્પ છે. BPCL માં સરકારની કુલ 52.98 ટકા હિસ્સો છે. સરકાર આ કંપનીના 114.91 કરોડ શેર ધરાવે છે. સરકારે જાહેરાત કરી છે કે કંપનીનું મેનેજમેન્ટ કંટ્રોલ પણ BPCL ના ખરીદનારને ટ્રાન્સફર કરવામાં આવશે, એટલે કે, માલિકી હક પણ ખરીદનારને જશે.