કંગનાએ કહ્યું, મારે રાજકારણ સાથે કંઈ લેવાદેવા નથી. મારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. રાજ્યપાલે મારી વાત પુત્રીની જેમ સાંભળી. હું માનું છું કે મને ન્યાય મળશે. રાજ્યપાલ સાથે મુલાકાત બાદ કંગનાએ હાથમાં કમળનું ફૂલ લહેરાવ્યું હતું.
મહારાષ્ટ્રના રાજ્યપાલને મળ્યા બાદ કંગનાના હાથમાં જોવા મળ્યું કમળનું ફૂલ
શિવસેના શું ઈચ્છે છે કે તેના ગુંડાઓ મારા સાથે બદતમીજી કરતા રહે?: અભિનેત્રી
અભિનેત્રી કંગના રનૌત રવિવારે સાંજે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળી હતી. તેની ઓફિસમાં BMC દ્વારા બુલડોઝરથી તાજેતરમાં કરવામાં આવેલી કાર્યવાહી બાદ તે રાજ્યપાલને મળી હતા. તેને મીડિયાને કહ્યું હતું કે રાજ્યપાલ અહીંના વાલી છે. અને તેમણે મારી વાત એક પુત્રીની વાત માફક સાંભળી હતી, મને ભરોસો છે કે ન્યાય મળશે.
હાલની ઘટનાઓને જોતાં કંગના રનૌત નો ઝોક ભારતીય જનતા પાર્ટી તરફ લાગી રહ્યો છે. રાજ્યપાલને મળ્યા બાદ કંગનાના હાથમાં કમળના બે ફૂલો જોવા મળ્યાં હતાં. આ તે અટકળોને મજબુત કરે છે કે કંગના રનૌત 'કમલ'ને પકડી શકે છે. તાજેતરમાં કંગના રનૌત ની માતાએ પણ કહ્યું હતું કે તેમનો પરિવાર ભૂતકાળમાં કોંગ્રેસનો સભ્ય રહ્યો છે પરંતુ તાજેતરની ઘટના બાદ તેઓ ભાજપને સમર્થન આપશે.
A short while ago I met His Excellency the Governor of Maharashtra Shri Bhagat Singh Koshyari Ji. I explained my point of view to him and also requested that justice be given to me it will restore faith of common citizen and particularly daughters in the system. pic.twitter.com/oCNByhvNOT
કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલેએ કરી હતી કંગનાની સાથે મુલાકાત
શુક્રવારે કેન્દ્રીય પ્રધાન અને આરપીઆઈ પ્રમુખ રામદાસ આઠવલેએ કહ્યું હતું કે કંગના સાથે અન્યાય કરવામાં આવ્યો છે અને મહારાષ્ટ્ર સરકારે બદલો લેવાની કાર્યવાહી કરી ત્યારે તેનો સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે. કંગનાએ થતાં કોઈપણ નુકસાનની ભરપાઇ કરવી જોઈએ. રામદાસ આઠવલેએ કહ્યું કે, જો કંગના અમારી પાર્ટીમાં આવશે, તો તેનો વધુ ઉપયોગ થશે નહીં, પરંતુ જો તે ભાજપમાં જોડાશે તો તેમને રાજ્યસભાની બેઠક મળી શકે છે.
કેન્દ્રની મોદી સરકારે આપી છે વાય કેટેગરીની સુરક્ષા
કંગના રનૌત ને હાલમાં જ કેન્દ્રની મોદી સરકારે વાય કેટેગરીની સુરક્ષા આપી હતી અને હિમાચલના ભાજપના મુખ્યમંત્રી જયરામ ઠાકુર પણ આ મુદ્દે મહારાષ્ટ્ર સરકારણે ઘણી ખરીખોટી સંભળાવી ચૂક્યા છે. આમ કંગનાને ભાજપ તરફથી સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત છે તે જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે કંગના અને શિવસેના નેતા સંજય રાઉતના વિવાદ બાદ BMC એ કંગનાની ઓફિસ તોડી પાડી હતી, જે બાદ કંગના અને શિવસેના આમને સામને છે. અને આજ બાબતે તે રાજ્યપાલને મળવા પહોંચી હતી.
Wow!! Unfortunate that BJP is protecting someone who busted drug and mafia racket, BJP should instead let Shiv Sena goons break my face,rape or openly lynch me, nahin Sanjay ji? How dare they protect a young woman who is standing against the mafia!!! https://t.co/xnspn8yeSW
રાજ્યપાલને મળતા પહેલા કંગના રનૌત સેના અને સંજય રાઉતે જોરદાર હુમલો કર્યો હતો. કંગનાએ ટ્વિટમાં કહ્યું હતું કે શિવસેના શું ઇચ્છે છે કે ભાજપ કંગનાને રનૌત ને ગુંડાઓ સામે એમ જ મૂકી દે? કંગનાએ કહ્યું કે શિવસેનાનો હેતુ છે કે ગુંડાઓ દ્વારા મારો ચહેરો તોડવાનો, કે મારી સાથે બળજબરી કરવાનો છે? નોંધનીય છે કે આ પહેલા સંજય રાઉતે કહ્યું હતું કે ભાજપ કંગનાનું સપોર્ટ કરી રહી છે તે દુ:ખદ છે.