આગામી 31 ઓક્ટોબર ના રોજ જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ બાદમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવશે યુનિટીના લોકાર્પણ બાદ પ્રતિદિન 15 000 પ્રવાસીઓ મુલાકાતે આવશે ત્યારે આ પ્રવાસીઓ માટે ખાસ સરકાર દ્વારા બે ત્રણ એજન્સીઓને હાયર કરી જેમને પેકેજ ટુર બનાવવા માટે આમંત્રણ આપી દેવાયું છે અને જેઓ હાલ તમામ પ્રકારનું પ્લાનિંગ કરી રહ્યા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી દર્શન માટે ખાસ 150 વ્યક્તિ બેસી શકે જેવી બોટ મુકવામાં આવશે જેનું ભાડું 300થી 500 રૂપિયા સુધીની ટિકિટ રાખવામાં આવશે સાથે જો કેપ્સ્યુલ બોટ માંથી જવું હોય તો પ્રત્યેક વ્યક્તિની 50 થી 100 રૂપિયા ટીકીટ લેવી પડશે.
આ સાથે ગરુડેશ્વર ખાતે બની રહેલા વિયર કમ કોઝવેથી 12 કિમીનું સરોવર બનાવશે જેમાં બોટિંગથી લઇ નર્મદા ઘાટ તૈયાર કરાશે જ્યાં પૂજા સાથે નર્મદા મહા આરતી કરવામાં આવશે બહાર તળાવ નંબર 3 પાસે બોટિંગ સુવિધા ઉભી કરાશે જેમાં પણ વ્યક્તિ દીઠ 200 રૂપિયા ટિકિટ રહેશેય
સરદાર સરોવર પાછળ પણ એક ક્રુઝ દ્વારા 50 થી 60 કિલોમીટરનો એક રાઉન્ડ લગભગ 5થી 6 કલાકનો ગોવાની જેમ લાગશે જેમાં જમવાની સુવિધા અપાશે જેની પણથી વધુ ની ટિકિટ હશે ત્યારે આ તમામ પ્રકારની બોટિંગ વ્યવસ્થા પણ 31 ઓક્ટોમ્બર પહેલા શરૂ કરી દેવામાં આવશે