સાઉથ એક્ટ્રેસ અમાલા પોલને કેરળના એક હિંદૂ મંદિરમાં દર્શન કરવાની પરવાનગી ન હતી આપવામાં આવી. જેના બાદ એક્ટ્રેસે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે આ નિરાશાજનક છે કે 2023માં પણ આવો આર્થિક ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.
સાઉથ એક્ટ્રેસ અમાલા પોલને ન મળી કેરળના મંદિરમાં એન્ટ્રી
એક્ટ્રેસ ઘટના લોકો સાથે શેર કરતા વ્યક્ત કર્યું દુઃખ
કહ્યું 2023માં પણ આર્થિક ભેદભાવ કરવામાં આવી રહ્યો છે
સાઉથના ઘણા મંદિરોમાં એવા નિયમો છે જેના કારણે વિવાદ ઉભો થયો છે. તાજેતરનો મામલો કેરળના અર્નાકુલમના થિરૂવૈરનિકુલમના હિંદૂ મંદિરનો છે. જ્યાં સાઉથની ફેમસ એક્ટ્રેસ અમાલા પોલ મહાદેવના દર્શન માટે પહોંચી હતી.
પરંતુ તેમને મંદિરમાં અંદર આવવાની પરવાનગી ન મળી. મંદિર પ્રશાસને તેમને દર્શન કરવા અને મંદિરમાં અંદર જવાની પરવાનગી ન આપી. જેના બાદ આ મામલાએ જોર પડક્યું છે. અમાલાએ આ નિરાશાજનક ગણાવ્યું છે. તેની સાથે જ તેમણે વિઝિટર રજીસ્ટરમાં પોતાની સાથે થયેલી આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.
સોમવારનો છે આ મામલો
હકીકતે આ મામલો સોમવારનો છે જ્યારે એક્ટ્રેસ અમાલા પોલ શિવ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચી હતી. એક્ટ્રેસને મંદિરમાં જવાની પરવાનગી ન હતી અને મંદિરના પ્રશાસનની તરફથી કહેવામાં આવ્યું છે કે તે દૂરથી બહાર જઈને દર્શન કરી લે. મંદિર પ્રશાસને હિંદૂ માન્યતાઓનો હવાલો આપતા કહ્યું કે ફક્ત હિંદૂ જ મંદિરમાં પ્રવેશ કરી શકે છે.
અમાલાએ મંદિરની સામે રસ્તા પર જ દર્શન કર્યા અને પરત ફરી. જોકે મંદિરના વિઝિટર રજીસ્ટરમાં અમાલાએ પોતાની ભાવનાઓને વ્યક્ત કરી અને લખ્યું કે તેમને દેવીના દર્શન ન કરવા મળ્યા. પરંતુ તેમને એવું લાગ્યું કે જાણે તેણે દર્શન કરી લીધા.
અમાલા પોલને ન મળી મંદિરમાં એન્ટ્રી
અમાલા પોલ લખે છે કે 'આ દુખી કરનાર છે અને નિરાશાજનક છે કે 2023માં પણ ધાર્મિક ભેદભાવ થઈ રહ્યો છે. હું દેવી માતાની પાસે જઈને દર્શન ન કરી શકી. પરંતુ મને દૂરથી જ તેનો અહેસાર થયો. મને આશા છે કે ધાર્મિક ભેદભાવ દૂર થાય. એ સમય આવી ગયો છે અને અમારા બધાની સાથે સામાન્ય વ્યક્તિની જેમ જ વર્તન થાય ધર્મના આધાર પર નહીં.'
2023માં પણ થઈ રહ્યો છે ધાર્મિક ભેદભાવ
ત્યાં જ જ્યારે મંદિર પ્રશાસને આ વિશે વાત કરી તો Thiruvairanikulam મહાદેવ મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકોએ કહ્યું કે તેમણે મંદિરના નિયમોનું પાલન કર્યું છે. એવું નથી કે બીજા ધર્મમાં હિંદૂ અનુયાયી મંદિર નથી આવતા પરંતુ જ્યારે કોઈ સેલેબ્રિટિ આવે છે તો વિવાદ થઈ જાય છે.