કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે તેમણે અમદાવાદના ચાણક્યપુરી અને ચાંદલોડિયા રેલ્વે અંડર પાસનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે એસજી હાઈવેને જોડતો ચાંદખેડા ત્રાગડ અને ડી કેબીન ખાતેના અલગ-અલગ રેલવે અંડરપાસનું ખાતમુર્હત પણ કર્યું હતું. તે અગાઉ અમદાવાદના હેબતપુર ખાતે વૃક્ષારોપણ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપી હતી.
ચાંદલોડિયા રેલવે સ્ટેશન પર 430 મીટર લાંબા પેસેન્જર પ્લેટફોર્મ અને ટિકિટ બુકિંગ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું.
આ પ્લેટફોર્મ મુસાફરોને વધુ સુવિધા આપશે અને કોઈપણ પ્રકારના અકસ્માતથી પણ બચાવશે. તેમજ સ્થાનિક લોકો નવી બનેલી બુકિંગ ઓફિસમાંથી ટ્રેનની ટિકિટ બુક કરાવી શકશે. pic.twitter.com/gpmlfRZUEy
મહત્વનું છે આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પહેલા ચાંદલોડિયાથી રેલવેની ટિકિટ કઢાવવી હોય તો સ્કુટર, ગાડી લઈને કાલુપુર જવું પડતું હતું કે, મીઠાખળી જવું પડતું હતું. પરંતુ હવે ચાંદલોડિયા પહોંચી જજો તમને કાશ્મીરની ટિકીટ પણ મળશે અને કન્યાકુમારીની પણ મળશે. તેમણે જણાવ્યું કે, ચાંદલોડિયા રેલવે સ્ટેશન પર આખા ભારતમાં ગમે ત્યાં જવું તે માટે રેલવે દ્વારા અદ્યતન ટેકનોલજી સજ્જ ટિકીટ કાઉન્ટરની આજ શરૂઆત થઈ ગઈ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પશ્ચિમ રેલવેના વિવિધ કાર્યોના શિલાન્યાસ અને ઉદ્ઘાટન પ્રસંગે... https://t.co/GgCgkOBLOn
રેલવે વિભાગના 33 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
તેમણે જણાવ્યું અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં 10 રેલવે ક્રોસિંગ હટાવ્યા છે. તેની જગ્યાએ ઓવર બ્રીજ અથવા અન્ડર બ્રીજનું અમારી સરકારે બનાવ્યું છે. આ સાથે તેમણે ઉમેર્યું કે આજ થી જુદી જુદી 10 ટ્રેનો ચાંદલોડિયા સ્ટેશન ખાતે ઉભી રહેશે. જેથી હવે મુંબઈ જવું હશે તો ચાંદલોડિયા રેલવે સ્ટેશનથી જ તમને ટ્રેન મળી જશે. આ સાથે મુઝઝફરથી અમદાવાદ એટલે કે, અમદાવાદથી બિહાર સુધીની ટ્રેન પણ તમે સાબરમતીથી પકડી શકશો. આ સાથે આ કાર્યક્રમમાં તેઓ વિપક્ષીઓનો પણ આડે હાથ લીધા હતાં.