કાશીમાં આ વર્ષે કોરોના સંકટના લીધે 475 વર્ષોથી ચાલી આવતી પરંપરા તૂટી જશે. નાટી ઇમલી મેદાનમાં દર વર્ષે યોજાતી વિશ્વ પ્રસિદ્ધ ભરત મિલાપ સમારોહ ના કાર્યક્રમને આ વર્ષે નહીં યોજી શકાય. કોરોનાના લીધે આ વર્ષે માત્ર સાંકેતિક પરંપરાઓ જ યોજાશે, અને તે પણ અયોધ્યા ભવનમાં જ યોજાશે.
પીએમ મોદી ના મતવિસ્તાર કાશીમાં છે 475 વર્ષ જૂની પરંપરા
475 વર્ષ પહેલા રામભક્ત મેઘા ભગત ને સપનામાં થયા હતા પ્રભુ શ્રીરામ ના દર્શન
વિશ્વ પ્રસિદ્ધ રામનગરની રામલીલા બાદ નાટી ઇમલી ના ભરત મિલાપ કાર્યક્રમ પર પણ કોરોના નું ગ્રહણ લાગી ગયું છે. ધર્મનું નગર કહેવાતું કાશી આ વખતે આ પ્રસંગની યજમાની નહીં કરી શકે, જેના માટેનું સૌથી મુખ્ય કારણ કોરોના ના વધતાં જતાં કેસો છે. વૈશ્વિક કોરોના સંકટ ને જોઈને આયોજકોએ આ નિર્ણય લીધો છે. આ જ કારણે જો કે આ કાર્યક્રમ ના ભક્તોમાં પણ ઉદાસી વ્યાપી ગઈ છે.
મેઘા ભગત એ શરૂ કરી હતી આ પરંપરા
લક્ખા મેળા નો એક ભાગ ગણાટા આ આયોજનની શરૂઆત 475 વર્ષો પૂર્વે મેઘા ભગત દ્વારા કરવામાં આવી હતી. તેઓ પ્રભુ શ્રીરામ ના અનન્ય ભક્ત હતા. એવી એક માન્યતા છે કે તેમને સપનામાં ભગવાન શ્રીરામના સાક્ષાત દર્શન થયા હતા. આજે પણ એવી એક માન્યતા છે કે પ્રભુના અહી દર્શન થાય છે. આ જ મુખ્ય કારણ કે કે અહીં ભરત મિલાપ જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો ભીડ આવતી હોય છે.
કાશી રાજ પરિવાર 223 વર્ષથી આ પરંપરાનું સાક્ષી છે
કાશી રાજ પરિવાર પણ આ પ્રસિદ્ધ પરંપરાનું સાક્ષી રહી ચૂક્યું છે, અને તે પણ કોઈ એક બે કે પાંચ સાત વર્ષોથી નહીં, પરંતુ પૂરા 223 વર્ષથી તેઓ આ સમારોહના સાક્ષી બનતા આવ્યા છે. છેલ્લા 223 વર્ષોથી કાશી નરેશ આ પરંપરામાં શાહી અંદાજમાં સામેલ થતાં હોય છે. પૂર્વ કાશી નરેશ મહારાજ ઉદિત નારાયણ સિહ દ્વારા 1796માં પહેલી વાર આ પરંપરાની શરૂઆત કરાઇ હતી, તેઓ પ્રથમ વાર 1796માં આ પ્રથમ સામેલ થયા હતા. ત્યારથી લઈને આ રાજપરિવારની 5 પેઢીઓએ આ પરંપરા નિભાવી જાણી છે.
યાદવ ભાઈઓ પાલખી ઉપાડતાં હોય છે
નાટી આમલી ના ભરત મિલાપ માં, યાદવ લોકો લાંબા સમયથી પરંપરાગત પોશાકમાં આ લીલામાં જોડાતા હોય છે. યાદવ બંધુઓ લીલા સ્થળ પર પ્રભુની પાલખી એ વહઁ કરવાની પરંપરા નિભાવતા હોય છે.