આજની દુનિયા ઝડપથી આગળ વધી રહી છે અને આ ઝડપથી વધતી દુનિયામાં દરેકનું માનવું છે કે દવાઓના પ્રયોગથી ડોક્ટર ઓછામાં ઓછા સમયમાં દર્દીને સાજો કરી દે છે. પરંતુ તમને જણાવી દઇએ કે હજુ પણ કેટલીક બિમારીઓ એવી છે જેની સારવાર આયુર્વેદમાં જ સારી રીતે થાય છે. પરંતુ હવે એનું પ્રમાણે ઓછા ટકામાં થઇ ગયું છે
નાભિને માનવ શરીરનું કેન્દ્ર માનવામાં આવ્યું છે. નાભિ સ્થાનથી શરીરની 72 હજાર નાડીઓ જોડાયેલી રહે છે. જો નાભિ પોતાના સ્થાનથી ખસી જાય છે તો શરીરમાં ઘણા પ્રકારની સમસ્યા થાય છે. આ સમસ્યા કોઇ પણ પ્રકારની જવા લેવાથી ઠીક થતી નથી. એની સારવાર નાભિને ફરીથી પોતાના સ્થાન પર લાવવાથી જ થાય છે. આધુનિક ચિકિત્સા પદ્ધતિમાં એને માનવામાં આવતું નથી. પરંતુ આજે પણ આ પદ્ધતિથી હજારો લોકો ઠીક થઇને લાભ પ્રાપ્ત કરી રહ્યા છે.
પરંતુ આજે અમે તમને એક એવી રીત માટે જણાવવા જઇ રહ્યા છીએ જેને અપનાવીને તમે તમારી આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. વાસ્તવમાં એના માટે તમારે અંગૂઠામાં કાળો દોરો બાંધીને રાખવો જોઇએ એનાથી નાભિ વારંવાર ખસી જતી નથી. આ ઉપાયથી તમારી નાભિ ભવિષ્યમાં પણ ખસસે નહીં તમને જણાવી દઇએ કે જે હાથની નાની આંગળીની લંબાઇ ઓછી હોય એ હાથ સીધો કરો. હથેળી ઉપરની તરફ હોય. હવે આ હાથને બીજા હાથની કોણીની સાંધાના પાસેથી પકડો. હવે પહેલા હાથની મુઠ્ઠી ટાઇટ બંધ કરી દો.
આ મુઠ્ઠીના ઝટકાથી તમારી એ જ સાઇડના ખભા પર મારવાનો પ્રયત્ન કરો. કોણી થોડી ઊંચી રાખો. આવું દસ વખત કરો. હવે આંગળીઓની લંબાઇ ફરીથી ચેક કરો. લંબાઇનો તફાવત દૂર થઇ ગયો હશે. એટલે કે નાભિ તમારા સ્થાન પર આવી ગઇ હશે. જો આવું થયું નથી તો આ પ્રક્રિયા ફરી કરો.