આજે મુખ્યમંત્રી અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં પીવાના પાણી અને રામનવમીના દિવસે થયેલી હિંસાની ઘટના લઈને ચર્ચા કરવામાં આવી હતી.
કેબિનેટ બેઠકમાં પીવાના પાણીની લઈને ચર્ચા થઈ
જળાશયમાં પાણી સ્ટોક જળવાઈ રહે તે માટે પાણી કાપ મૂકાશે
બેઠકમાં હિંમતનગર અને ખંભાત જૂથ અથડામણ બાબતે ચર્ચા થઈ
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી.જેમાં સરકારના કામો અને તેની વ્યૂહરચના પર ચર્ચા કરી નિર્ણય લેવામાં આવ્યાં હતાં. તેમજ રામનવમીના દિવસે ખંભાત અને હિંમતનગરમાં થયેલી જૂથ અથડામણની ઘટના બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ખંભાતની સ્થિતિને લઈને મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરી હતી. અને અધિકારીઓને ખંભાતમાં શાંતિ જળવાય તે માટે સૂચનાઓ અપાઈ હતી.
કેબિનેટ બેઠકમાં પીવાના પાણીની લઈને ચર્ચા થઈ
આજની કેબિનેટ બેઠકમાં રાજ્યમાં ઉનાળામાં પીવાના પાણી સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ઉત્તર ગુજરાત, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા પીવાના પાણીની તત્કાળ વ્યવસ્થા કરવા અધિકારીઓને સૂચના અપાઈ હતી. તેમજ આગામી ચોમાસુ નબળું હોવાના ભયથી પાણી બચત માટે તથા સિંચાઈના પાણીમાં કાપ મુકવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત જળાશયમાં પાણી સ્ટોક જળવાઈ રહે તે માટે પાણી કાપ મૂકવા પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં હિંમતનગર અને ખંભાત જૂથ અથડામણ બાબતે ચર્ચા થઈ
આ બેઠકમાં રામનવમીના દિવસે હિંમતનગર અને ખંભાત થયેલી જૂથ અથડામણ બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સાથે ખંભાતની સ્થિતિને લઈને મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરતાં અધિકારીઓને સૂચનાઓ અપાઈ હતી કે, ખંભાતમાં શાંતિ જળવાઈ રહે. તેમજ આ બેઠકમાં હિંમતનગરમાં સ્થિતિ કાબુ હોવાની પણ ચર્ચાઓ થઈ હતી.
શાંતિ ભંગ કરનાર તત્વોને કોઇ પણ સંજોગોમાં સાંખી લેશે નહીં: CM
ઉલ્લેખનીય છે કે, મંગળવારે રાત્રે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં હિંમતનગર અને ખંભાતમાં થયેલી હિંસા અંગે બેઠક મળેલી. જેમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી DGP તથા મુખ્ય સચિવ, ગૃહ સચિવ સહિતના ઉચ્ચાધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપતા કહ્યું છે કે રાજ્યની શાંતિને ડહોળવા માગતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી દેવામાં આવી છે. સામાજીક સૌહાર્દ જળવાઇ રહે તે માટે સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. શાંતિ ભંગ કરનાર તત્વોને કોઇ પણ સંજોગોમાં સાંખી લેશે નહીં. ખંભાતની ઘટનામાં 9 આરોપીઓની ધરપકડ કરી જ્યારે હિંમતનગરની ઘટનામાં 22 આરોપીઓની ધરપકડ કરાઇ છે. બંને શહેરોની ઘટનાઓ મુદ્દે CMને માહિતી આપવામાં આવ્યા બાદ તેમણે કડકમાં કડક પગલા લેવાના આદેશ આપી દીધા છે.