અમદાવાદના ધોળકા તાલુકાના બદરખા ગ્રામ પંચાયત દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે કરાઈ પહેલ, આવશ્યક વસ્તુઓ માટે સવારે 7થી 12 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખવાની મંજૂરી
કોરોના સંક્રમણ રોકવા બદરખા ગામ અલર્ટ
જરૂરી સેવાઓની દુકાન બપોરે 12 સુધી ખુલ્લી રહેશે
કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય
ગામડાઓમાં પણ હવે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે કોરોનાના સંક્રમણને રોકવા ગ્રામપંચાયતોએ કમરકસી છે. ધોળકા તાલુકાના બદરખા ગ્રામ પંચાયત દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે પહેલ કરવામાં આવી છે. કોરોના સંક્રમણને રોકવા માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. આવશ્યક વસ્તુઓ માટે સવારે 7 થી 12 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખવા મંજૂરી આપવામાં આવી છે. તેમજ ગામમાં 4 લોકોથી વધુ ભેગા થવા પર અને માસ્ક વિના ફરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ગાંધીનગરના શેરથામાં કોરોના વિસ્ફોટ
ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્ર્મણ વધી રહ્યું છે. ગાંધીનગરના શેરથામાં કોરોના વિસ્ફોટ થયો છે. 7 દિવસમાં 50 થી વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવતાં ગામના લોકોમાં જાગૃતતા વધી છે. વિદેશમાં રહેતા ગ્રામજનોએ પણ આર્થિક મદદ મોકલાવી છે. ગામમાં લોકોને માટે RT-PCR ટેસ્ટની સુવિધા કરવામાં આવી છે. સંક્રમિતોને ઘરે દવા અપાય છે તેમજ નાસ લેવાના મશીન પણ પૂરા પાડવામાં આવ્યા છે.
એક અઠવાડિયામાં 50થી વધુ દર્દીઓના મૃત્યુ
ગ્રામ્ય વિસ્તારોમાં વધતો કોરોનાનો કહેર વધી રહ્યો છે. ધોળકા તાલુકાના ચલોડા ગામે કોરોનાનો કહેરથી એક અઠવાડિયામાં 50થી વધુ દર્દીઓના મૃત્યુ થયાં છે. ગ્રામજનો વધતા કોવિડ કેસ અને મૃત્યુને પગલે પરેશાન છે. વધતા કેસ પગલે ગામલોકોને વ્હારે લાયન્સ કલબ આવ્યું છે. લાયન્સ કલબે ગામની શાળામાં આઇસોલેશન સેન્ટર ઊભું કર્યું છે. આઇસોલેશન સેન્ટરમાં 25 લોકોને સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ છે. ગામમા ઓક્સિજન વ્યવસ્થા છે પરંતુ વીજળીના ફાંફા છે. વારંવાર વીજળી જવાના કારણે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. હાલ ચલોડા ગામમાં કોરોનાના 200 એક્ટિવ કેસો છે. વધતા કેસો કારણે ગામમાં રેપીડ ટેસ્ટની વ્યવસ્થા કરાઈ છે. ગામમાં રોજ 30 લોકોના ટેસ્ટમાં 5 લોકો પોઝિટિવ આવે છે.