શ્રીકૃષ્ણને પ્રેમનો અવતાર માનવામાં આવે છે. આજ કારણે તેમની ભક્તિ મંદિરની સાથે સાથે દરગાહ પર પણ કરવામાં આવે છે.
જી હા, તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ એક એવી દરગાહ છે જે રાજસ્થાનના ઝુંઝુનૂ જિલ્લામાં આવી છે. જ્યાં શ્રીકૃષ્ણના જન્મની ઉજવણી કરવાની સાથે સાથે પ્રેમથી સૂફી ગીતો પણ ગવાય છે. શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવા માટે હિંદુ ધર્મના જ નહી પરંતુ મુસ્લિમ સમાજના લોકો પણ હાજરી આપે છે.
રાજસ્થાનમાં સ્થિત બાબા હાજીબ શકરબાર શાહની દરગાહ સાંસ્કૃતિ અને ધાર્મિક એકતાની પ્રતિક છે. જ્યાં એટલા ઉત્સાહ અને આસ્થાની સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ સત્ય છે. આ દરગાહ પર શ્રીકૃષ્ણના જન્મને તમામ ધર્મોના લોકો એકસાથે ઉજવે છે, આ દરગાહમાં અઝાની સાથે સાથે આરતી પણ ગુંજે છે.
ઝુંઝુનૂ જિલ્લાના નરહટ ગામ સ્થિત બાબા હાજીબ શકરબાર શાહની દરગાહ પર શ્રીકૃષ્ણની જન્માષ્ટમી ઉજવણી કરવાની સાથે 3 દિવસના મેળાનું આયોજન પણ કરવામાં આવે છે. જન્માષ્ટમીના અવસર પર અહીં નાટક, કવ્વાલી વગેરેનું આયોજન થાય છે. અહીં દિલ્હી, હરિયાણા અને પંજાબથી લોકો મેળો જોવા માટે આવે છે, કારણ કે આ દરગાહમાં આ પ્રકારનું આયોજન અનોખું છે.
દરગાહમાં આયોજિત આ મેળામાં દરરોજ હજારો લોકો આવે છે. દરગાહના ખાદિમ (દેખરેખ રાખનારા) જણાવે છે કે, ''અહીં વર્ષોથી જન્માષ્ટમીનું આયોજન કરવામાં આવે છે. અમે સાત પેઢીથી આ પરંપરાને આગળ વધારી રહ્યા છીએ. જાતિ-ધર્મના અંતરને ભૂલીને અહીં ઉત્સાહ અને ઉંમગ સાથે લોકો કૃષ્ણ જન્મોત્સવ ઉજવે છે. લોકો આખી રાત જાગરણ કરે છે અને નાચ-ગાન કરે છે. અનેક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે.''
દરગાહની કમિટીના અધિકારીએ જણાવે છે કે, ''દર વર્ષે 3 દિવસ આ ઉત્સવ ચાલે છે. દરગાહમાં દરરોજ સવાર-સાંજ અજાન અને આરતી સાથે-સાથે થાય છે. દરગાહમાં એક જ સમયે મૌલવી અજાન લગાવે છે તો પંડિત ઘંટડીઓ અને નગારા સાથે આરતી કરે છે.''