દિવાળીનો તહેવાર હિન્દુઓ માટે મહત્વનો તહેવાર છે. દિવાળી આવે એટલે કપડા લેવાય, ઘર સાફ થાય અને દરેક શુભ કાર્યો થાય પરંતુ દિવાળીના આ તહેવારોમાં આ વર્ષે તિથિઓને ક્ષયનું ગ્રહણ છે. તો આ વર્ષે 13 નવેમ્બરે ધનતેરસ અને કાળી ચૌદસ ભેગી છે.
દિવાળીમાં જાણો શુભ મૂર્હુત
31 વર્ષ પછી બન્યો આ યોગ
સવારે ઉદય તિથિ એટલે કે સૂર્યોદયથી સાંજે 6 વાગ્યા સુધી ધનતેસર સહેશે. બાદમાં કાળી ચૌદસની તિથિ શરૂ થશે. જે 14 નવેમ્બર શનિવાર બપોરે 2.18 વાગ્યા સુધી રહેશે. કાળી ચૌદસની વિશિષ્ટ પૂજા,વગેરે સૂર્યોદય બાદ જ કરી શકાશે. કાળીચૌદશમાં ઉપાસના રાતને બદલે દિવસે કરવાનો સંયોગ 32 વર્ષ પછી આવી રહ્યો છે.
14 નવેમ્બર, શનિવારે બપોરે 2.18 વાગ્યાથી દિવાળીની તિથિ શરૂ થાય છે, જે 15 નવેમ્બરે રવિવારે સવારે 10.37 વાગ્યા સુધી રહેશે. આ દરમિયાન નવા વર્ષનાં ચોપડાપૂજન, લક્ષ્મીપૂજન કરી શકાશે.
તિથિ મળતી ન હોવાથી રવિવારે પડતર દિવસ રહેશે. જ્યોતિષશાસ્ત્રની માન્યતા અનુસાર, પડતર દિવસે નવા વર્ષના વેપાર-ધંધાનું મુહૂર્ત કરવાનું અશુભ માનવામાં આવે છે. આ દિવસે મુહૂર્ત કરવાથી ધંધામાં બરકત રહેતી નથી. હિંદુ પંચાંગ મુજબ, નવું વર્ષ 16 નવેમ્બર, સોમવારે ઉદિત તિથિથી પ્રારંભ થશે. જોકે આ દિવસે બીજનો ક્ષય હોવાથી ભાઈબીજ પણ સાથે જ મનાવાશે. ભૌગોલિક પરિસ્થિતિ અને પંચાંગ અનુસાર કોઈ વખત તિથિનો ક્ષય થતો હોય છે.