સ્વચ્છતા સર્વેક્ષણ 2021 હેઠળ કેન્દ્ર સરકારે સુરતને વોટર પ્લસ શહેર જાહેર કર્યુ છે. CM રૂપાણીએ આપ્યા અભિનંદન
સ્વચ્છતા સર્વેક્ષણ 2020માં તારણ
સુરત શહેરને મળ્યું વોટર પ્લસનું સર્ટિફિકેટ
92 જગ્યાઓના નિરીક્ષણના અંતે તારણ
સુરત શહેરની વધુ એક ઓળખ મળી છે શહેરમાં ગંદા પાણીમાંથી નાણાં ઊભા કરનાર સુરતની સિદ્ધિમાં વધારો થતા સુરત રાજ્યનું પ્રથમ એવું શહેર બન્યું છે જેને સ્વચ્છતા સર્વેક્ષણ 2021 અંતર્ગત વોટર પ્લસ જાહેર કરવામાં આવ્યું હોય. કેન્દ્ર સરકારે સુરતે વોટર પ્લસ જાહેર કરતા ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતવાસીઓને ટ્વીટ કરી અભિનંદન આપ્યા હતા.
Congratulations Surat!
Surat is the only city from Gujarat to get SBM Water+ certification under the Swachh Survekshan 2021 by MoHUA, Government of India.
Thanking once again to all for putting effort and hard work into keeping Surat clean & green. pic.twitter.com/tIVnkrnFh7
મહત્વનું છે કે ભારત સરકારના શહેરીકાર્ય અને આવાસ મંત્રાલય દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2021 હેઠળ વોટર પ્રોટોકોલ સર્ટિફિકેશનના 700 માર્ક્સ નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં વોટર પ્લસ પ્રોટોકોલનો હેતુ શહેરો અને નગરો દ્વારા ગંદા પાણીની વૈજ્ઞાનિક તરીકે પ્રોસેસ કરી તેનો નિકાલ થાય અને પર્યાવરણ જળસૃષ્ટિને નુકસાન ન પહોંચે તે રીતે તેનો નિકાલ કરવામાં આવે છે. જેમાં સુરત શહેરે બાજી મારી જતા સમગ્ર રાજ્યમાં સુરત એવું એક માત્ર શહેર બન્યું છે જેમાં વોટર પ્લસ પ્રોટોકોલમાં જે પેરામીટર્સ બનાવવામાં આવ્યા છે, તેનું સારી રીતે પાલન કરવામાં આવ્યું હોય. જેમાં સુરત શહેરે બાજી મારી લીધી છે.
Congratulations Surat! 🎉
Surat is the only city from Gujarat to get SBM Water+ certification, under the Swachh Survekshan 2021 by MoHUA, Government of India.
Thanking once again to all for putting effort and hard work in keeping Surat clean & green. pic.twitter.com/d2wfYlVwMq
ઉલ્લેખનિય છે કે સ્વચ્છતા સર્વેક્ષણ 2021 હેઠળ કેન્દ્ર સરકારે દેશના 4 વોટર પ્લસ શહેરમાં સુરતને ગુજરાતનું પ્રથમ શહેર જાહેર કરવામાં આવ્યું છે. સુરત દેશનું એક માત્ર શહેર છે જ્યાં ગંદા પાણીના પ્રોસેસીંગ માટે 11 એસટીપી છે. ટ્રીટેડ વોટર રીયુઝ કરવા 3 ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. જેના થકી ગંદા પાણીનો નિકાલ તો થાય છે પરતું તેની સાથે સારી એવી આવક પણ થાય છે આના થકી પાલિકાને વાર્ષિક 140 કરોડની આવક થાય છે. 2020માં સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતે બીજો નંબર મેળવ્યો હતો.
શૌચાલય, વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ, રસ્તાઓનું નિરીક્ષણ કર્યું
સુરત શહેરને મળ્યું વોટર પ્લસનું સર્ટિફિકેટ મળતા સુરતવાસીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2020ની ચકાસણીમાં કેન્દ્રની ટીમે 92 જગ્યાઓનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં શૌચાલય, વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ, રસ્તાઓનું નિરીક્ષણ કર્યું હતું જે બાદ તમામ પરીક્ષણોના અંતે સુરતને વોટર પ્લસ સર્ટિફિકેટ મળ્યું છે. જો વાત કરવામાં આવે તો સુરતમાં 11 સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ અને 3 ટ્રેસરી ટ્રિટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે, તેમજ ડ્રેનેજ પાણી ટ્રિટ કરીને પાલિકા વર્ષે 140 કરોડની આવક મેળવે છે.