અમદાવાદ શહેરના તંત્ર દ્વારા વર્ષ 1968માં સાબરમતી નદી પર બનાવાયેલો નહેરુ બ્રિજ હવે ખખડી ગયો છે. જેના કારણે સુભાષબ્રિજની જેમ તેનું પણ રિપેરિંગ કામ હાથ ધરાશે
અમદાવાદનો નેહરુ બ્રિજ 15 દિવસ માટે બંધ રહશે
15થી 30 જાન્યુઆરી સુધી નહેરુ બ્રિજ રહશે બંધ
બ્રીજનું સમારકામ કરવાનું હોવાથી નિર્ણય લેવાયો
અમદાવાદ શહેરના તંત્ર દ્વારા વર્ષ 1968માં સાબરમતી નદી પર બનાવાયેલો નહેરુ બ્રિજ હવે ખખડી ગયો છે. જેના કારણે સુભાષબ્રિજની જેમ તેનું પણ રિપેરિંગ કામ હાથ ધરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. નહેરુબ્રિજનાં એક્સ્પાન્શન જોઇન્ટ અને સ્પાનની બેરિંગ બદલવાની જરૂરિયાતના કારણે આવતીકાલ એટલે 24 ફેબ્રુઆરીની રાતે દસથી-સવારના છ વાગ્યા સુધી વાહન વ્યવહાર બંધ કરાશે છે. જોકે રાત્રી કરફ્યુની અમલવારીથી સામાન્ય લોકોને આ નિર્ણયથી કોઈ ફરક પડશે નહીં. ફક્ત સરકારી વાહનોને લાલ દરવાજાથી આશ્રમ રોડ તરફ આવવા-જવા માટે વિવેકાનંદબ્રિજ અને ગાંધીબ્રિજથી નીકળવું પડશે.
આ પહેલા પણ કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા ખખડધજ થયેલા સુભાષબ્રિજનું રિપેરિંગ કામ હાથ ધરાયું હતું. ઓગસ્ટ-2019થી હાથ ધરાયેલા રિપેરિંગ કામમાં દર રવિવારે બ્રિજને બંધ રખાયો હતો અને દિવાળી બાદ રિપેરિંગ માટે બ્રિજને પંદર દિવસ સુધી સંપૂર્ણપણે બંધ રખાયો હતો. જે બાદ નહેરુબ્રિજનો વારો આવ્યો છે. ૧૨ જાન્યુઆરી ઈજનેર વિભાગે આ માટેનો ટ્રાયલ રન લીધો હતો. જે સફળ નીવડતા હવે રિપેરિંગ માટેનું સુવ્યવસ્થિત આયોજન હાથ ધરાયું છે.
તંત્રનાં આયોજન મુજબ આવતીકાલે અને ૨૮ જાન્યુઆરીએ નહેરુબ્રિજ રાતના દસથી સવારના છ વાગ્યા સુધી સંપૂર્ણપણે બંધ રહેશે. ઉપરાંત ફેબ્રુઆરી મહિનામાં ૧, ૫, ૯, ૧૩, ૧૭ અને ૨૧- એમ છ દિવસ અને માર્ચ મહિનામાં તા. ૧ અને ૫- એમ બે દિવસ રાતના સમયે વાહનવ્યવહાર માટે બંધ રખાશે. નહેરુબ્રિજના રિપેરિંગ માટે તંત્રે રૂ. 3.24 કરોડનું ટેન્ડર મંજૂરી કર્યું છે.