આ ખેલાડી છેલ્લા ઘણા સમયથી ટીમ ઈન્ડિયાનો હિસ્સો નથી બની શક્યો પણ એ ખેલાડી તેની બોલિંગની સ્પીડ અને યોર્કર્સ માટે જાણીતો છે.
છેલ્લા ઘણા સમયથી આ ખેલાડીને નથી મળી રહ્યું ટીમમાં સ્થાન
બૂમરાહ જેવી યોર્કર ફેંકવામાં માહિર
ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટ રમ્યા હતા
ભારતીય સિલેક્ટર્સએ ટી-20 વર્લ્ડ કપ 2022 વચ્ચે ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશના ટુર માટે ટીમ ઈન્ડિયાનું એલાન કરી દીધું છે. આ સીરિઝ માટે કુલ 4 ટીમોની પસંદગી કરવામાં આવી છે પણ આમાંથી કોઈ પણ સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો એક ઘાતક ફાસ્ટ બોલર પોતાનું સ્થાન બનાવી ન શક્યો. જણાવી દઈએ કે આ ખેલાડી છેલ્લા ઘણા સમયથી ટીમ ઈન્ડિયાનો હિસ્સો નથી બની શક્યો પણ એ ખેલાડી તેની બોલિંગની સ્પીડ અને યોર્કર્સ માટે જાણીતો છે.
આ ખેલાડીને નથી મળી રહ્યું ટીમમાં સ્થાન
ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર ટી.નટરાજન (T. Natarajan) છેલ્લા લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાં જગ્યા નથી બનાવી શક્યો. જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડ ટુરમાં સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે અને એવી પરિસ્થિત પછી પણ તેઓ પોતાની જગ્યા આ ટુરમાં નથી બનાવી શક્યા. એક સમયે ટી. નટરાજનને ટી20 નો સ્પેશ્યાલિસ્ટ બોલર માનવામાં આવતો હતો એ છતાં પણ તે ટીમ ઈન્ડિયાનો હિસ્સો બનવામાં સતત નિષ્ફળ બની રહ્યો છે. જણાવી દઈએ કે ટી. નટરાજન ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં રમ્યા છે.
બૂમરાહ જેવી યોર્કર ફેંકવામાં માહિર
આપણે બધા જાણીએ જ છીએ કે નટરાજન એમના કરિયરની શરૂઆતમાં તેઓ 'યોર્કર મેન' તરીકે જાણીતા હતા પણ એ છતાં તેઓ છેલ્લા એક વર્ષથી ભારતીય ક્રિકેટ ટીમની બહાર છે. જણાવી દઈએ કે એમની યોર્કર બોલિંગની તુલના જસપ્રિત બુમરાહ જેવા બોલર સાથે કરવામાં આવે છે. જણાવી દઈએ કે ટી નટરાજને IPL 2022માં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતી વખતે ખૂબ સારું રમ્યા હતા અને ટી. નટરાજને IPL 2022ની 11 મેચમાં 18 વિકેટ લીધી હતી.
ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટ રમ્યા હતા
નટરાજને અત્યાર સુધી ભારત માટે 1 ટેસ્ટ મેચ, 4 T20 આંતરરાષ્ટ્રીય મેચ અને 2 વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ રમી છે આ સાથે જ ટી નટરાજને ટેસ્ટમાં 3 વિકેટ, T20 ઇન્ટરનેશનલમાં 7 વિકેટ અને વન-ડે ઇન્ટરનેશનલમાં 3 વિકેટ લીધી છે. ટી નટરાજને તેની છેલ્લી મેચ માર્ચ 2021માં ઈંગ્લેન્ડ સામે રમી હતી અને ત્યારથી અત્યાર સુધી હવે ટીમ ઈન્ડિયામાં નટરાજનનું નામ પણ ચર્ચામાં નથી આવતું.