ટીમ ઈન્ડિયાનો એક એવો ખેલાડી છે જેને મહિનાઓથી ટીમમાં જગ્યા નથી મળી અને આ ખેલાડીનું મહત્વ અચાનક જ ઘટી ગયું છે. ચાલો જોઈએ કોણ છે એ ખેલાડી..
ટીમ ઈન્ડિયામાં આ ખેલાડીનું મહત્વ અચાનક જ ઘટી ગયું
હવે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળવી મુશ્કેલ
ખરાબ ફોર્મ અને ફિટનેસના કારણેટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવ્યો હતો
ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા માટે કોમ્પિટિશન સતત વધી રહ્યું છે. હાલ પરિસ્થિતિ એવી છે કે ટીમમાં દરેક સ્થાન માટે ત્રણથી ચાર ખેલાડીઓ દાવેદાર છે અને એવામાં એક ખરાબ સીરિઝ પણ ખેલાડીઓના કરિયર પર ભારે પડી શકે છે. ટીમ ઈન્ડિયાનો એક એવો જ ખેલાડી પણ છે જેને મહિનાઓથી ટીમમાં જગ્યા નથી મળી. ટીમ ઈન્ડિયામાં આ ખેલાડીનું મહત્વ અચાનક જ ઘટી ગયું છે. ચાલો જોઈએ કોણ છે એ ખેલાડી..
Here's to flexibility, strength and growth!
This #YogaDay, let’s take a pledge to create a balance in life. Now is the time to take a step to rejuvenate ourselves. 🧘♂️ pic.twitter.com/mLrBvvTr3y
હવે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળવી મુશ્કેલ
હાલમાં ટીમ ઈન્ડિયા પાસે મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ જેવા ફાસ્ટ બોલરોની ત્રિપુટી હાજર છે. આ ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટમાં ઘણું સારું પ્રદર્શન કરી રહ્યા છે અને શાયદ તેના કારણે જ એક સમયના સ્ટાર ફાસ્ટ બોલર ઈશાંત શર્મા ટીમમાંથી ગાયબ થઈ ગયા છે, જો કે હવે ઈશાંત શર્મા માટે ટીમમાં વાપસી કરવી પણ મુશ્કેલ લાગી રહી છે. જણાવી દઈએ કે ઈશાંત શર્માએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ નવેમ્બર 2021માં રમી હતી.
100 થી વધુ ટેસ્ટ મેચ રમી છે..
ઈશાંત શર્માએ વર્ષ 2007માં ટીમ ઈન્ડિયા માટે પહેલ ટેસ્ટ મેચ રમી હતી અને એ પછી ઈશાંત શર્માને બીજા જ મહિને વન ડે ક્રિકેટમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. જણાવી દઈએ કે ઈશાંત શર્માએ ટીમ ઈન્ડિયા માટે 100 થી વધુ ટેસ્ટ મેચ રમી છે આપણ ખરાબ ફોર્મ અને ફિટનેસના કારણે ઈશાંત શર્માને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવ્યો હતો. એ પછીથી ઈશાંત શર્મા ટીમમાં પાછો આવી શક્યો નથી.
ટીમ ઈન્ડિયામાં અત્યાર સુધીનો રેકોર્ડ
ટીમ ઈન્ડિયા માટે ઈશાંત શર્મા ત્રણેય ફોર્મેટમાં રમી ચૂક્યો છે. ઈશાંત શર્માએ ભારત માટે 105 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેને 311 વિકેટ તેના નામે કરી હતી. આ સાથે ઈશાંત શર્મા અત્યાર સુધી 80 વનડે રમી ચૂક્યો છે અને તેમાં તેને 115 વિકેટ તેના નામે કરી હતી. જો કે ટી20 ક્રિકેટમાં ઈશાંત શર્મા કોઈ ખાસ કમાલ નથી કરી શક્યો. ટી20માં તેણે 14 મેચમાં ફક્ત 8 વિકેટ પોતાના નામે કરી હતી. જણાવી દઈએ કે ઈશાંત શર્માએ 2016 પછી ટીમ ઈન્ડિયા માટે એક પણ ODI મેચ રમી નથી અને એ સિવાય IPLમાં પણ તેને તક નથી મળી રહી. આ પરિસ્થિતિ પરથી લાગી રહ્યું છે કે હવે ઈશાંત શર્મા પાસે નિવૃત્ત થવાનો જ વિકલ્પ બચ્યો છે.