બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત પોતાના નિવેદનોને કારણે દરરોજ સમાચારોમાં રહે છે પરંતુ આ વખતે તેનું નામ બીજા એક્ટરના કારણે ચર્ચામાં છે.
કંગના માટે પત્નીને છોડવા તૈયાર છે આ એક્ટર
ઇન્ટરવ્યૂમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
કંગનાએ આ મુદ્દે કોઇ પ્રતિક્રિયા નથી આપી
રિપોર્ટ અનુસાર એક અભિનેતા કંગના રનૌતના પ્રેમમાં એટલો પાગલ થઈ ગયો છે કે તે તેની પત્નીને પણ છૂટાછેડા આપવા તૈયાર છે. હવે આ સમાચાર મીડિયામાં આગની જેમ ફેલાઈ રહ્યા છે અને આ અભિનેતાનું નામ જાણીને તમને આશ્ચર્ય થશે.
અનિલ કપૂરનો ખુલાસો
એક ઈન્ટરવ્યુમાં જ્યારે અરબાઝ ખાને અનિલ કપૂરને પૂછ્યું કે તેની યુવાનીનું રહસ્ય શું છે? અભિનેતાએ કહ્યું કે મને લાગે છે કે આપણે ભગવાને આપેલા જીવનનો આનંદ માણવો જોઈએ. તેમના આશીર્વાદથી જીવન સરળ રીતે પસાર થઈ રહ્યું છે તે ભગવાનની દયા છે. તમારી પાસે 24 કલાક છે, તમે તમારા માટે ઓછામાં ઓછો 1 કલાક કાઢી શકો છો.
પત્નીને આપી શકાય છૂટાછેડા!
અનિલ કપૂર પર કોઇ પણ એક્ટ્રેસ ફિદા થઇ જાય છે પરંતુ શું તમે જાણો છો કે ઈન્ડસ્ટ્રીમાં એક એવી અભિનેત્રી છે જેના પર અનિલ કપૂર પોતે ફિદા છે. તેનો જુસ્સો એવો છે કે તે તેના માટે તેની પત્નીને છૂટાછેડા પણ આપી શકે છે. તે અભિનેત્રી છે કંગના રનૌત. આ વાતનો ખુલાસો અનિલ કપૂરે કરણ જોહરના શો કોફી વિથ કરણમાં કર્યો હતો. જ્યારે કરણે અનિલને એવી મહિલાનું નામ પૂછ્યું કે જેના માટે તે તેની પત્નીને છોડી શકે. આના પર અનિલે મજાકમાં કંગના તરફ ઈશારો કરીને તેનું નામ લીધું.
કંગનાનો વર્કફ્રન્ટ
કંગના રનૌતની વાત કરીએ તો આ મામલે તેની કોઈ પ્રતિક્રિયા આવી નથી. અભિનેત્રી આ દિવસોમાં ખૂબ જ વ્યસ્ત છે. એક પછી એક તે ઘણી ફિલ્મોનું શૂટિંગ પૂર્ણ કરી રહી છે. તેની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે આવતા વર્ષ સુધી 'ધાકડ' અને 'તેજસ'માં જોવા મળશે. કંગનાની હાલમાં જ રીલિઝ થયેલી 'થલાઈવી' આ ફિલ્મ અપેક્ષા કરતા ઓછું પ્રદર્શન કરી શકી છે.