કોરોનાની બીજી લહેરમાં ઉધોગપતિથી લઈ સત્તાધીશો પણ ઝપેટમાં આવી ગયા છે ત્યારે યુપીમાં ધારાસભ્યની પત્નીને ભોંયતળિયે સુવડાવી રાખી
પત્નીને ત્રણ કલાક સુધી હોસ્પિટલમાં ભોંયતળિયે સુવડાવી રાખી
પતિ-પત્ની બંને થયા હતા કોરોના સંક્રમિત
જો સત્તાધીશોનાં જ હાલ આવા છે તો સામાન્ય જનતાની સ્થિતિ કેવી હશે
પત્નીને ત્રણ કલાક સુધી હોસ્પિટલમાં ભોંયતળિયે સુવડાવી રાખી
યુપીના જસરાના જિલ્લાનાં ભાજપના ધારાસભ્ય પપ્પુ લોધીનાં જણાવ્યા અનુસાર "એક હોસ્પિટલમાં તેમની પત્નીને ત્રણ કલાક સુધી હોસ્પિટલમાં ભોંયતળિયે સુવડાવી રાખી" જિલ્લા અધિકારીના કહેવાથી ઘણી મુશ્કેલી પછી તેમને હોસ્પિટલમાં બેડ મળ્યો.
પતિ-પત્ની બંને થયા હતા કોરોના સંક્રમિત
યુપીના ફિરોજાબાદ જનપદનાં જસરાનાનાં ધારાસભ્ય રામગોપાલ ઉર્ફે પપ્પુ લોધી 30 એપ્રિલના રોજ કોરોના પોઝિટિવ આવ્યા હતા, તેમની સાથે તેમના પત્ની પણ કોરોના પોઝિટિવ થઈ ગયા હતા. સૌ પ્રથમ તેમને ફિરોજાબાદ જનપદનાં આઇસોલેશન વોર્ડમાં રાખ્યા હતા.
ધારાસભ્ય પપ્પુ લોધીની તબિયત સારી થઈ જતાં તેમને રજા આપવામાં આવી હતી પણ 7 મે નાં રોજ તેમની પત્નીની તબિયત ખરાબ થતાં તેમને SN મેડિકલ કોલેજ, આગ્રા લઈ જવાનું કહ્યું. તેઓ હોસ્પિટલ તો પહોંચી ગયા પણ ત્યાં કોઈ બેડ ખાલી જ ન્હોતો. તેથી હોસ્પિટલ વાળા લોકોએ 3 કલાક સુધી ભોંયતળિયે સુવડાવી રાખી. ત્યારબાદ જિલ્લા અધિકારીનો સંપર્ક કરતાં તેમણે બેડની વ્યવસ્થા કરી આપી હતી. પપ્પુ લોધી જણાવે છે કે હાલ પણ તેમની પત્નીની તબિયત કેવી છે તેના વિશે કોઈ જવાબ નથી આપી રહ્યું. તેમનું કહેવું છે કે આ હોસ્પિટલમાં સારી રીતે સારવાર નથી મળી રહી.
જો સત્તાધીશોનાં જ હાલ આવા છે તો સામાન્ય જનતાની સ્થિતિ કેવી હશે
પણ સામાન્ય નાગરિક તરીકે વિચારવા જેવું છે કે જો ભાજપના શાસનમાં ખુદ ભાજપના જ ધારાસભ્યોને પણ સારવાર ન્ મળતી હોય તો પછી સામાન્ય માણસનાં શું હાલ થાય? પપ્પુ લોધીએ હોસ્પિટલ પર આરોપ મૂક્યો છે કે તેઓ તેમની પત્નીને જમાવનું પણ નથી આપી રહ્યા કે ના સમયસર પાણી આપે છે.